શિવમંદિરમાં કાચબાની પૂજાનો મહિમા ભારતવર્ષના પ્રત્યેક શિવમંદિરમાં શિવ-પાર્વતીજીના સન્મુખે જ કાચબાની પણ પ્રતિષ્ઠા કરેલી જોવામાં આવે છે અને શિવજીની પૂજાની સાથે સાથે જ કાચબાની પણ પૂજા ભાવિકભક્તો કરે છે. ભગવાન શિવજીએ કાચબા જેવા એક સૂક્ષ્મ પ્રાણીને તેની મહાન શક્તિ "ઈન્દ્રિય નિગ્રહ" અને "સંયમ"ની પ્રત્યક્ષ કસોટી કરી તેને એક મહાન શક્તિ અને સંયમના પ્રતીકરૃપે નિજ મંદિરમાં કાયમી નિવાસ્થાન આપેલ છે. આ અંગેની એક પૌરાણિક ધર્મકથા આજના માનવમાત્ર માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. એક સમયે દેવરાજ ઈન્દ્રએ કૈલાસપતિ ભગવાન શંકરની પ્રસન્નતા પામવા માટે સ્વર્ગીય ઈન્દ્રપુરીમાં પધારવા આમંત્રણ આપ્યું. શિવજીએ તેનો સ્વીકાર કરી પોતે દેવરાજ ઈન્દ્રના નિવાસ્થાને પધાર્યા. ઈન્દ્રએ તેમનું ખૂબ જ ભાવભીનું અને ભવ્ય સ્વાગત કર્યું. ઈન્દ્રના દરબારમાં સ્વર્ગીય મંચ પર સુવર્ણના રત્નજડિત સિંહાસન પર શિવજી બિરાજ્યા એટલે તેમને પ્રસન્ન કરવા માટે સર્વાંગ સંુદર અપ્સરાઓના નૃત્યનું અને સુરીલા કંઠવાળા ગંધર્વોના ગાનનું આયોજન કર્યું. પરંતુ શિવજીના મસ્તકે સદૈવ જ્ઞાનગંગા વહેતી હોવાથી આવો અનુપમ અને લોભામણો કાર્યક્રમ નજરોનજર નિહાળ્યા છતાં તેમના મુખ પર પ્રસન્નતાની આછી- પાતળી રેખા પણ જોવામાં ન આવી. તેથી નિરાશ થયેલા ઈન્દ્રએ તેમની પાસેના સુખાસન પર બેઠેલા નારદજીને પૂછયું : "દેર્વિષ શિવજીના મન પર આવા સર્વોત્તમ અને સુંદર કાર્યક્રમો યોજ્યા છતાં, પ્રસન્નતા દેખાતી નથી, માટે આપ શિવજી પ્રસન્ન થાય એવો કોઈ ઉપાય હોય તો બતાવો." નારદજીએ કહ્યું : "દેવરાજ ! તમારા સહિત બધા દેવો લોભી, લાલચું અને ભોગવાદી છે. તમને રાત-દિવસ કલ્પવૃક્ષ દ્વારા અપેક્ષિત વસ્તુઓની પ્રાપ્તિ, અપ્સરાઓનાં નાચ-ગાન અને અમૃતાદિ ઉપભોગ સિવાય અન્ય કોઈ વિચાર આવતો જ નથી. જ્યારે શિવજી તો સંસારમાં રહેવા છતાં પણ પોતે અનાસકત યોગી છે. યોગીઓએ પણ તેમને "યોગેશ્વર"નું બિરુદ આપેલ છે એટલે તેમને મન આવાં પ્રલોભનોની કાંઈ કિંમત ન હોય. એ સ્વાભાવિક છે. માટે તમે એમ કરો, શિવજી પોતે પશુપતિનાથ છે. તેમને પશુઓનું કલા - કૌશલ્ય ખૂબ ગમે છે એટલે તમે પૃથ્વી લોકમાંથી પશુઓ અને પ્રાણીઓ લઈ આવો. એ દરેક પોતપોતાની ઉત્કૃષ્ટ કલાનું પ્રદર્શન કરે તો કદાચ તે જરૃર પ્રસન્ન થશે." નારદજીની સૂચના મુજબ ઈન્દ્રએ પોતાના અનુચરોને વશીકરણ મંત્ર દ્વારા મૃત્યુલોકમાંથી પશુ - પ્રાણીઓને લઈ આવવા આજ્ઞા આપી અને તત્ક્ષણ ઈન્દ્રની આજ્ઞાનો અમલ થયો. સ્વર્ગીય મંચ ઉપર સિંહ, વાઘ, દીપડા, હાથી, ચિત્તો, વરુ, સર્પ, અજગર, કાચબો ઈત્યાદિ પશુ - પ્રાણીઓને લઈ આવવામાં આવ્યાં. એક કાચબા સિવાય એ સર્વેએ પોતાની શ્રેષ્ઠ કલા અને શક્તિનું કૌશલ્ય બતાવ્યું. તેમ છતાંએ શિવજી પ્રસન્ન થયા નહીં. છેવટે છેલ્લે વારો કાચબાનો આવ્યો અને એ જે પોતાની કલાના નિદર્શન માટે મંચ પર આવ્યો. એક ક્ષુલ્લક પ્રાણી એવા કાચબાની ત્યાં ઉપસ્થિતિનો સર્વ પ્રાણીઓએ વિરોધ કર્યો કે, આ સ્વર્ગીય મંચ પર એક સૂક્ષ્મ પ્રાણી એવા કાચબાને સ્થાન ન હોય. નારદજીની નજર કરુણાસભર કાચબા પર પડી. તેમણે કહ્યું : "કાચબો પણ મૃત્યુ લોકનું એક પ્રાણી છે. ભગવાન શિવજીને મન સર્વ પશુ - પ્રાણીઓ સમાન છે માટે તેને અટકાવી ન શકાય." નારદજીના બોલ સાંભળી કાચબાને હિંમત આવી ગઈ. તેણે મંચ પર આવી સૌ પ્રથમ ભગવાન શિવજીને વંદન કર્યા અને કહ્યું : "મને અનુમતિ મળી એટલે હું માનું છું કે મારું કામ પૂર્ણ થયું છે." કાચબાના આ પ્રમાણે વચન સાંભળી, પોતાની જાતને જ જંગલનો રાજા માનતા સિંહને ખૂબ જ ક્રોધ ચઢયો અને તેણે કાચબાને મારવા પંજો ઉગામ્યો, એટલે કાચબાએ પ્રતિકાર કર્યા સિવાય સ્થિતપ્રજ્ઞા રહી, પોતાના અવયવો અંદર ખેંચી લીધા. સિંહે તેની પીઠ પર પંજો જોરશોરથી માર્યો છતાં કાચબાને કંઈ અસર ન થઈ. એક નાનકડા એવા કાચબાનું આ પ્રમાણેનું અલૌકિક કલા - કૌશલ્ય નિહાળી, દેવરાજની સારીએ સ્વર્ગીય સભા અને સ્વયં શિવજી પણ પ્રસન્ન થઈ આનંદ વિભોર બની ગયા. શિવજીના મુખ પર પ્રસન્નતા ઉભરાવા લાગી. શિવજી સભાપતિપદે બિરાજેલા હોવાથી એમણે નિર્ણાયકની અદાથી કહ્યું. "આજની સભામાં કલા - કૌશલ્યની સ્પર્ધાનું જે આયોજન કરવામાં આવ્યું છે, તે સ્પર્ધામાં પહેલું સ્થાન કાચબાને મળે છે." કાચબાએ નત મસ્તકે પુનઃ શિવજીને નમસ્કાર કર્યા અને પોતાના સ્થાને બેસી ગયો. બસ તે દિવસથી કાચબાને એક અમોઘ શક્તિના પ્રતીક તરીકે સ્વીકારી શિવજીએ પોતાના મંદિરમાં કાયમી સ્થાન આપેલ છે અને તેને પૂજાને પાત્ર બનાવ્યો છે. આ ધર્મકથામાં વર્ણવ્યા પ્રમાણે કાચબો જેમ પોતાનાં અંગોને અંદર ખેંચી લે છે અને સિંહ જેવા મહાપ્રતાપી પ્રાણીને પણ સ્પર્ધામાં પરાજિત કર્યો જેમ પ્રત્યેક માનવીએ સંસારના વિષયોના ભોગ - ઉપભોગ તરફ સતત દોડી રહેલી ઈન્દ્રિયોને અંકુશિત કરી સંયમ દ્વારા ઈન્દ્રિય - નિગ્રહ કરી વિષયોના વિનાશક આક્રમણમાંથી બચવા માટે સ્થિતપ્રજ્ઞા બની પ્રભુ અને ભગવાન શિવજીનો પણ પ્યારો થયો. કાચબાની આ કથા આપણને તેના જેવી અમોઘ શક્તિ પ્રાપ્ત કરવા માટે જીવનમાં ખૂબ જ પ્રેરણાદાયી છે. |
Get your own website and domain for just Rs.1,999/year.
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Change settings via the Web (Yahoo! ID required)
Change settings via email: Switch delivery to Daily Digest | Switch format to Traditional
Visit Your Group | Yahoo! Groups Terms of Use | Unsubscribe
No comments:
Post a Comment