[F4AG] Required PHP Professionals (Team Lead, Tech Lead, Software Engineer, Project Manager, Sr. Software Engineer)

 

Hi,

Please send your resume to resume@aruhat.com

 

We have bellow open positions for experienced PHP professionals.

1)Team Lead

2)Sr. Software Engineer

3)Software Engineer

4)Project Manager

5)Tech Lead


Please send your bio-data to resume@aruhat.com alongwith follwing detail.

 

Total Experience:
Relevent PHP Experience:
Current CTC:
Expected CTC:
Notice period to join:
Suitable time for interview:

Company Profile

Aruhat Technologies Pvt. Ltd is an Ahmedabad based software development company working on all major technologies like php, .net, java, web designing. We believe in individual growth for the growth of the company. We are having 65 employees and growing. We offer website development designing services to our off-shore clients.


Contact Details

Company Name:

Aruhat Technologies Pvt. Ltd.

 

Website:

http://www.aruhat.com

 

Executive Name:

Dimple Chauhan

 

Address:

Aruhat Technologies Pvt ltd

802,Atlanta Tower, Gulbai Tekra,

Nr. IIMP , Nr. Sears Tower, Off. C.G.Road,

Panchwati, AHMEDABAD,

Gujarat,India 380006

 

Email Address:

resume@aruhat.com

 

Telephone:91-79-40200900 Extension 928


__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

[F4AG] આવો રાજા કોઇ દિ’ થ્યો નથી!

 

આવો રાજા કોઇ દિ' થ્યો નથી!

Jwalant Chhaya, Savad
jwalant_288એ દિવસ હતો ૯મી માર્ચ. ડાયરાની ભાષામાં કહીએ તો તે દિ' ગોંડલની ધરતી પર જીવતા માણસો તો શું, ઝાડવાંય રોયાં હશે. એ દિવસે હુતાસણીનો તહેવાર હતો અને તૈયારી તો હોળી પ્રગટાવવાની હતી, પરંતુ પ્રગટી ચિતા. ગોંડલના રાજા, ગોંડલના ધણી, અરે, ગોંડલની ધરતી પર રહીને દેશનું ગૌરવ બનેલા, વિદેશમાં પણ રત્નનું સ્થાન પામેલા સર ભગવતસિંહજીનું એ દિવસે મૃત્યુ થયું હતું. એક એવું વ્યક્તિત્વ કે જેના માટે કોઇ પણ વિશેષણ ઓછું પડે. વિદેશની સરકારો-વિશ્વ વિદ્યાલયોએ આપેલા ખિતાબો તેમના નામની આગળ સતત લાગતા રહ્યા અને આ એવું વ્યક્તિત્વ કે જેને કોઇ પણ વિશેષણની જરૂર નહોતી તેમના નામની આગળ લાગી ગયું, સ્વર્ગસ્થ.

***

આઠમી માર્ચ,૧૯૪૪. ભગવતસિંહજીના પગે સોજા ચડ્યા. બીમારી લાંબી નહોતી. અંગત તબીબ ઇશ્વરભાઇ પટેલે કહ્યું મુંબઇ જઇએ. સારવાર સારી થશે. પરંતુ ભગવતસિંહે ના પાડી. કહ્યું કે મારું આયખું હવે પુરું થાય છે. નવમી માર્ચ બપોરે તેમણે વિદાય લીધી. ગોંડલમાં ક્યાંય હોળી ન પ્રગટી કે ન બીજા દિવસે રંગો ઊડ્યા. કેમ કે ગોંડલનો 'રંગ' જ ઊડી ગયો હતો. પ્રજાએ આંખોમાં ઉમટેલા પૂર સાથે આ મહાન રાજવીને અંતિમ વિદાય આપી.

***

ગોંડલના આ રાજાના મૃત્યુને આમ અચાનક સંભારવાનું કારણ એ કે હમણાં જ તેમના એક પ્રપૌત્રનું પણ અવસાન થયું અને દુ:ખદ વાત એ છે કે જેમના પૂર્વજ આવા મહાન, ગણનાપાત્ર, એક અમીટ છાપ છોડી જનારા હતા તેમના પરિવારમાં આવી ઘટના બની. મુંબઇમાં રહેતા ગોંડલના રાજ પરિવારના સદસ્ય ગુણાદિત્યસિંહે નવમી જુને આપઘાત કર્યો. તેઓ ભગવતસિંહજીના પુત્ર ભોજરાજસિંહના દીકરા વિક્રમસિંહના પુત્ર હતા. અખબારી અહેવાલો અનુસાર તેઓ કેન્સરની બીમારીથી પીડાતા હતા અને જિંદગી કરતાં મોત તેમને સહેલું લાગતાં તેમણે આત્મહત્યા કરી.

અલબત્ત, આપઘાત કોઇ પણ વ્યક્તિ કરે, કોઇ પણના જીવનમાં તે શક્ય છે, પરંતુ ગોંડલના રાજવી પરિવારમાં આવી ઘટના બને તો તેનાથી આજે પણ માત્ર ગોંડલમાં વસતા નહીં, બહાર રહેતા સૌરાષ્ટ્રવાસીઓને પણ આંચકો લાગે. અરે, રાજાના રૂપમાં ભગવાન હતા ભગવતસિંહજી એમ કહો તો ય ચાલે. જેમણે આખા ગોંડલ સ્ટેટ નહીં પરંતુ વિશ્વના પીડીતો, મુશ્કેલીમાં ફસાયેલા લોકોને જેણે પોતાના ગણ્યા હોય, કન્યા કેળવણીને પ્રોત્સાહન આપી અસ્પ્úશ્યતાને જેમણે નગરવટો આપ્યો હોય અરે, દારૂની ટેવ ન છોડી શકનાર પોતાના જ પુત્રને હદપાર કર્યા હોય, પોતાની બગી સાથે અથડાયેલી મોટરકારના ડ્રાઇવરને પોતે રોંગસાઇડમાં છે તેમ કહીને માફ કર્યો હોય તેવા રાજવીના પરિવાર માટે કોને લાગણી ન હોય?

ગોંડલના રાજવી, ભગવતસિંહજીએ નામની સાથે જ ૨,૮૧,૩૭૭ શબ્દોવાળો વિરાટ ભગવતગોમંડલ જ્ઞાનકોષ યાદ આવે અને યાદ આવે, ગોંડલની ભવ્ય ઇમારતો કે પછી એ સમયે કાઠિયાવાડનો સૌથી મોટો બનેલો ભાદર નદી પરનો ઉપલેટાથી પાટણવાવ વચ્ચેનો પુલ, અન્ડરગ્રાઉન્ડ વાયરિંગ, ઢસાથી જામજોધપુર સુધીની ૧૦૬ માઇલની કાઠિયાવાડની પ્રથમ રેલવે લાઇન, સ્ટેટમાં ૧૦૦૦ નાળાં, ૧૨ પુલો, ૩૬૦ માઇલની પાકી સડક. ભગવતસિંહજી ગોંડલના રાજા નહોતા, તે તો હતા 'ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઓફ ગોંડલ'. શિક્ષણ હોય કે રસ્તા, સલામતી કે ખેતીના પ્રશ્નો, ભગવતસિંહજીના હૈયે આ પ્રજાના કલ્યાણના એંગલથી રહેતું.

૧૮૬૫ની ૨૪મી ઓક્ટોબરે ધોરાજીમાં તેમનો જન્મ, પિતા સંગ્રામજીમાં બળ તો હતું, સાથે જ આત્મા તેમનો સાધુ જેવો. તેમના મૃત્યુ સમયે ભગવતસિંહજીની વય માત્ર ચાર વર્ષ. પરંતુ તેઓ નાનપણથી જ હોંશિયાર. નવમે વર્ષે રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ માટે ગયા. ૧૮મે વર્ષે ગોંડલની ગાદી સત્તાવાર રીતે સંભાળી. બસ, પછી પ્રારંભ થયો એક યુગનો. પ્રજાને પરિવાર માનતા આ મુઢ્ઢી નહીં પરંતુ હાથ ઉંચેરા રાજાએ એક અમીટ છાપ છોડી. એક એડમિનિસ્ટ્રેટર કેવા હોય, એક મોભી શું કહેવાય, તેનું એક અનન્ય દ્રષ્ટાંત તેમણે આપ્યું. વિદેશના માધ્યમો અને ઇંગલેન્ડની સરકારોએ તેમને જે માન આપ્યું તેની નોંધ લેવા માટે તો અલગથી 'સંવાદ' લખવું પડે!

પ્રજાને પરિવાર માનતા આ રાજાએ પોતાના સાતેય સંતાનને ઇંગ્લેન્ડમાં ઉચ્ચ શિક્ષણ અપાવ્યું હતું. બપોરે ૧૨થી ૧ ભગવતસિંહજી પ્રજાના પ્રશ્નો સાંભળતા, દોઢ વાગ્યે આખું કુટુંબ એક સાથે ભાણે બેસતું. રાત્રે આખા રાજ્યમાંથી 'આલબેલ' (ઓલ વેલ)નો સંદેશ આવી જાય પછી જ તેઓ ભોજન લેવા બેસતા. પોતાની પાસે કાર હોવા છતાં શહેરમાં બગીમાં બેસીને જ નીકળતા અને એ બગી વળી કોઇ શહેરીજનને શુભ પ્રસંગે ભાડે પણ અપાતી. તેઓ મર્યાદિત રકમ પગાર પેટે લેતા. મહારાણી નંદકુંવરબા સાથે તેમણે વિશ્વના પ્રગતિશીલ દેશોનો પ્રવાસ કર્યો હતો અને તેમાંથી પ્રેરણા લઇ ગોંડલનો વિકાસ કર્યો હતો.

ગોંડલમાં હુન્નરશાળા, ફગ્યુંસન હોસ્પિટલ અને સંગ્રામ સિંહ સ્કૂલનું નિર્માણ તો તેમણે કરેલા વિકાસના આંગળીના વેઢે ગણાય તેટલાં જ ઉદાહરણ છે. એ સમયે અત્યારના પાકિસ્તાનમાં સ્થિત કવેટામાં ધરતીકંપ થયો તેમાં રૂ. એક કરોડની સહાય મોકલી હતી. રાજકુમાર કોલેજને એ સમયે રૂ.૩૦ હજારનું દાન, શિક્ષણ ક્ષેત્રે ગોંડલ પારિતોષિકની શરૂઆતઅને ગાંધીજીને વિવિધ તબક્કે કુલ રૂ.૧૦ લાખની સહાય. જ્ઞાનોપાસનામાં બ્રાહ્નણ, વેપાર-દુરંદેશીમાં વૈશ્ય, પ્રજાસેવા પરાયણતામાં ક્ષુદ્રને પણ પ્રેરણા આપે તેવી પ્રતબિદ્ધતા અને કરેલા નિર્ણયમાં અડગ રહેવામાં તેઓ ખરા ક્ષત્રિય હતા. જે ગુણાદિત્યસિંહનું મૃત્યુ થયું તેમને ગોંડલ સાથે વર્ષોથી સંબંધ નહોતો.આવી ઘટના બાદ જે વાતો થતી હોય છે તે મુજબ ગુણાદિત્યસિંહ ઉર્ફે ધનાબાપુએ ગોંડલની પ્રખ્યાત રાજવાડીની પોતાના હિસ્સાની મિલકત ધાર્મિક સંસ્થાને દાનમાં આપી દીધી હતી અને આવા આકસ્મિક મોતથી તેઓ પોતાના કમ્પેનિયન રોઝીને જ નહીં, ગોંડલના ચાહકોને આંચકો તો આપી જ ગયા.'

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

[F4AG] વિન્ટેજ પુસ્તકો હવે સીડીવગાં

 

 

વિન્ટેજ પુસ્તકો હવે સીડીવગાં

 
 

વારસો - દિવ્યેશ વ્યાસ
 
૧૯મી સદીનાં દુર્લભ એવાં ૪૧ પુસ્તકોની ડિજિટલ આવૃત્તિ (સીડી) તૈયાર કરવાનું જહેમતભર્યું કાર્ય ફાર્બસ ગુજરાતી સભાએ કર્યું છે. ઈ.સ. ૧૯૦૦ પહેલાંનાં વર્ષોમાં છપાયેલાં પુસ્તકોની સચવાયેલી પ્રતોના એક એક પાનાને સ્કેન કરીને તૈયાર કરાયેલી સીડી નવી પેઢીને એ જમાનામાં પ્રિન્ટિંગ કેવું થતું હતું? કેવાં કેવાં ફોન્ટ વપરાતા હતા? કવર પેજ કેવાં બનતાં હતાં? તેની જાણકારીની સાથે સાથે એ જમાનાની ગુજરાતી ભાષા અને સાહિત્યને જાણવા-માણવાની ર્સ્વિણમ તક પૂરી પાડશે.
 
વાંચે ગુજરાત...વાંચે ગુજરાત...હમણાં બહુ ચાલ્યું છે, પણ શું વાંચવું એનો જવાબ મેળવવો મુશ્કેલ છે. આમ તો વાંચવા માટેના વિકલ્પો અને વૈવિધ્યનો પાર નથી, પરંતુ પસંદગી કરવી ચોક્કસ અઘરી છે. અનેક સાહિત્યકારોએ પોતાનાં ભાતભાતનાં સર્જનોથી ગુજરાતી ભાષા અને સાહિત્યને દીપાવ્યાં છે, પણ શું તમને 'જૂની ગુજરાતી'માં લખાયેલું સાહિત્ય વાંચવામાં રસ પડે ખરો? તમને તરત પ્રશ્ન થશે, જૂની ગુજરાતી એટલે શું? ઉદાહરણો જોઈએઃ 'શ્રી ઇંગલંડ દેશની મુખતેશર અને શેહેલ વારતા', 'જરતોશતી લોકોનાં ધરમ પુશતકો તથા એ પુશતકોની ભાષા અને પુરાતમપણાવીશે નીબંધ' બોલો, કંઈ સમજાયું? કદાચ થોડું થોડું સમજમાં આવ્યું હશે. ખરેખર તો આ ગુજરાતી ભાષાનાં ૧૯મી સદીમાં એટલે કે ૧૯૦૦ની સાલ પહેલાંના ગાળામાં છપાયેલાં બે પુસ્તકોનાં શીર્ષકો છે. તો આવી હતી, આજની ગુજરાતી કરતાં થોડી ઘણી અલગ એ વખતની ગુજરાતી, બોલાતી ગુજરાતી ભાષા જ્યારે લખાતી-છપાતી થઈ તે વખતનું ગુજરાતી, એટલે કે જૂની ગુજરાતી. આવાં ૧૯મી સદીનાં બીજાં કેટલાંક પુસ્તકોનાં શીર્ષક જોઈએ :  'દલપતરામકૃત કાવ્યસંગ્રહ', નર્મદ સંપાદિત 'દયારામકૃત કાવ્યસંગ્રહ', નર્મદે પોતે પ્રકાશિત કરેલી 'નર્મગીતાવળી', ગુર્જર અગ્રેસર મંડળની 'ચિત્રાવલી', 'મુંબઈની યુનિવરસિટિ વિશે', 'અખાભક્તની વાણી', 'ગજલસતાંન', 'મુંબઈનો બાહાર', 'શેક્સપીર નાટક અંક-૧', 'બુદ્ધિવર્ધક ગ્રંથ', 'ગરેટ બરીટન ખાતેની મુસાફરી', 'કયાપતન ગ્રંટની ડપૂની મરાઠાઓની બખરના', 'શેરને સટ્ટાબાજી', 'નામાર્થ બોધ', 'દક્ષિણ હિંદુસ્થાનમાં મુસાફરી', 'મનહરપદ', નર્મદનું 'અલંકાર પ્રવેશ', 'ગુજરાતી ભાષાનું વ્યાકરણ', 'ફાર્બસ જીવનચરિત્ર', 'ઇજિપ્તની ભૂમિ'...બોલો, કેવી મજા પડી? તમને તરત થશે કે આવી ગુજરાતી ભાષાનાં પુસ્તકો વાંચવાનો રોમાંચ તો કંઈક અલગ જ હોય. મળે તો વાંચવા જોઈએ. કોઈ તરત કહેશે કે પણ એટલાં જૂનાં પુસ્તકો મળે ક્યાં? મળે તોપણ એટલાં જૂનાં પુસ્તકો તો જર્જરિત હાલતમાં હોય, હાથમાં પાનું પકડીએ ત્યાં ભરભર ભુક્કો થઈ જાય. વાત તો સાચી છે, એવાં પુસ્તકો મળવાં દુર્લભ અને મળે તોપણ તે વાંચી શકાવાની શક્યતા નહિવત્ જ રહે. જોકે, આ સમસ્યાનો ઉકેલ ગુજરાતની એક ખૂબ જ જૂની અને પ્રતિષ્ઠિત સંસ્થાએ આપણને કાઢી આપ્યો છે. છેક ૧૮૬૫માં સ્થપાયેલી 'ફાર્બસ ગુજરાતી સભા'એ પોતાના ગ્રંથાલયમાં સચવાયેલાં ૧૯મી સદીનાં દુર્લભ પુસ્તકોની ડિજિટલ આવૃત્તિ (સીડી) તૈયાર કરી છે. શરૃઆતમાં ૨૦ પુસ્તકો અને તાજેતરમાં બીજાં ૨૧ પુસ્તકો, એમ કુલ ૪૧ પુસ્તકોનું ડિજિટલાઇઝેશનનું કામ સંપન્ન કરીને આ સંસ્થાએ ગુજરાતી ભાષા અને સાહિત્યની બહુ મોટી સેવા કરી છે.
 
૧૯મી સદીનાં દુર્લભ ૪૧ પુસ્તકો હવે ઈ-બુક્સ સ્વરૃપે સીડીવગાં થયાં છે અને આ ઈ-બુક્સની વિશેષતા એ છે કે કમ્પ્યુટરની સ્ક્રીન પર સામાન્ય પુસ્તકની જેમ તેનાં બે પાનાં ખુલ્લાં રહે છે, એટલે કે તમારી સામે પુસ્તક મૂળ પુસ્તક જ ખુલ્લું હોય એવો અહેસાસ થાય છે. તમે ઇચ્છિત પાના પર જઈ શકો છો અને એક પછી એક પાનાં ખોલો તો પુસ્તકના પાનાના ફફડાટનો અવાજ પણ તેમાં મૂકવામાં આવ્યો છે, જેથી તમે ખરેખર પુસ્તક વાંચી રહ્યા હો એવું ફીલ કરી શકાય છે.
 
ફાર્બસ ગુજરાતી સભાએ ધાર્યું હોય તો આ તમામ પુસ્તકોને ફરી કમ્પોઝ કરાવીને નવી આવૃત્તિ છાપી શક્યા હોત, પરંતુ તેણે એવું વિચાર્યું કે એમ કરવાથી લખાણ-સાહિત્ય તો નવી પેઢી સુધી પહોંચે પણ તેમાં મજા નથી. નવી પેઢીને જૂનાં પુસ્તકો કેવાં હતાં, તેનું પ્રિન્ટિંગ કેવું હતું, એ જમાનામાં કેવાં કેવાં ફોન્ટ વપરાતા હતા, કેવાં કેવાં કવર પેજ બનતાં હતાં, એ બધાનો અંદાજ પણ આવવો જોઈએ. તેમણે મૂળ પુસ્તકનાં એકે એક પાનાં સ્કેન કરીને ભારે જહેમત લઈને આ વિન્ટેજ પુસ્તકો આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરેલો છે.
 
આ પ્રોજેક્ટમાં સક્રિય રહીને સિંહફાળો આપનારા અને ફાર્બસ ગુજરાતી સભા સાથે વર્ષોથી સંકળાયેલા મુંબઈના જાણીતા ફ્રિલાન્સ લેખક દીપકભાઈ મહેતા જણાવે છે કે આજે નેટ પર અનેક પુસ્તકોની મૂળ આવૃત્તિઓ ડિજિટલ સ્વરૃપે જોવા-વાંચવા મળે છે, એ જોઈને અમને વિચાર આવેલો કે ૧૯મી સદીમાં છપાયેલાં અને જર્જરિત હાલતમાં છતાં સચવાયેલાં પુસ્તકોને પણ ઈ-બુક્સના નવા અવતારમાં શા માટે ન ઉપલબ્ધ બનાવવાં? હાલમાં તો આ દરેક પુસ્તકની સીડી ફાર્બસ ગુજરાતી સભા પાસેથી મેળવી શકાય છે, પરંતુ અમે જ્યારે તેમને આ વિન્ટેજ પુસ્તકો નેટ પર ઉપલબ્ધ કરાવવા અંગે દીપકભાઈને પૂછયું ત્યારે તેમણે કહ્યું કે ભવિષ્યમાં અમારી વેબસાઈટ બનાવીને તેમાં આ તમામ પુસ્તકો મૂકવા અંગે અમે ચોક્કસ વિચારીએ છીએ, પરંતુ સંસ્થાની આર્થિક સ્થિતિ જોતાં હાલ આ ડિજિટલાઇઝેશનનો ત્રણ લાખથી વધુ થયેલો ખર્ચ નીકળી જાય, એવું વિચારીને સીડી વેચીએ છીએ.
 
૧૯મી સદીનાં પુસ્તકોના ઈ-બુક્સના અવતારને લોકોએ વધાવી લીધો છે અને અત્યાર સુધીમાં બસ્સોથી વધુ સીડીનું વેચાણ થઈ ચૂક્યું છે.
 
આ ૪૧ પુસ્તકોમાં કેટલાંક પુસ્તકો તો દેવનાગરી લીપીમાં છપાયેલાં છે. મોટા ભાગનાં પુસ્તકોનાં કવર સાવ સાદાં છે. આમાં કેટલાંક પુસ્તકો દોઢસો-બસો પાનાંનાં છે, તો કેટલાંક વળી સાતસો-આઠસો પાનાંનાં પણ છે. ફાર્બસ ગુજરાતી સભા હજુ કેટલાંક વધુ વિન્ટેજ પુસ્તકોને પણ સીડીવગાં કરવાનું વિચારી રહી છે. 'વાંચે ગુજરાત'નું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતને પોતાનાં અમૂલ્ય વારસા સમાં આ પુસ્તકો વાંચવા પણ જરૃર ગમશે. તમને શું લાગે છે?

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

[F4AG] સફળ વ્યક્તિ કેવું વિચારે છે

 

સફળ વ્યક્તિ કેવું વિચારે છે

Source: Bakul Bakshi, Navi Nazare   
જહોન મેકસવેલ અમેરિકાના એક જાણીતા લીડરશીપ ગુરુ છે. જેમના પુસ્તકો બેસ્ટ સેલર બન્યા છે અને પોતે ઘણી મોટી કંપનીઓના સલાહકાર છે. બહોળા અનુભવ બાદ એમણે સફળ થયેલા લોકોની વિચારપદ્ધતિ વિશે સંશોધન કર્યું છે. એમના પુસ્તક 'હાઉ સક્સેસફુલ પીપલ થિંક'નું મુખ્ય તારણ છે કે કોઇ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે ખાસ વિચાર પદ્ધતિ હોવી જરૂરી છે. લેખકે કરેલા સંશોધનની થોડી ખૂબીઓ...


કોઇ પણ સફળ વ્યક્તિ નેગેટિવ નથી હોતી. સારા વિચારો અલ્પ સમય પુરતા જ આવતા હોય છે. માટે તેમનો તાત્કાલિક અમલ જરૂરી છે. વિચારોની નોંધ કરવાની આદત કેળવો જેથી અમલ કરવામાં સરળતા રહે. નાની ઇચ્છાઓ છોડી મોટા પાયા પર વિચાર કરવાનો આગ્રહ રાખો. સફળ વ્યક્તિ મોટું સ્વપ્ન જુએ છે. પોતે અભિપ્રાય આપવા કરતાં બીજાંને સાંભળવાથી વધારે શીખવા મળે છે. વિચારોને ધ્યેય પર કેન્દ્રિત કરો અને વિચલિત કરતી દરેક આદતથી દૂર રહો.


આથી તમારી પસંદની અમુક પ્રવૃત્તિઓ છોડવી પડે તો પણ અચકાશો નહીં. તમારી પ્રગતિનો રીવ્યૂ કરતા રહો. સફળ વ્યક્તિ પોતાના સ્વપ્નનો વિકલ્પ તૈયાર રાખે છે. જો સ્વપ્ન સાકાર ન થાય તો બીજા વિકલ્પનો અમલ કરે છે. માટે એ નિષ્ફળતાના ભયથી મુકત છે. જેવી છે તેવી સ્થિતિથી એ ક્યારેય સમાધાન નથી કરતા અને સુધારવાની કોશિશ કરતા રહે છે. વિચારોને વાસ્તવિક રાખો. ધ્યેય અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર નિરાશાનું કારણ બને છે.


આપણા સાધનોને ધ્યાનમાં રાખી ભવિષ્યની યોજના ઘડો. સૌથી ખરાબ સ્થિતિ શું થઇ શકે તેનું ધ્યાન રાખી વ્યૂહાત્મક રીતે વિચારો પર અમલ કરો. સારી તૈયારી અડધી લડાઇ જીતાડી દે છે. કોઇ પણ સમસ્યાને નાના ટુકડાઓમાં વહેંચી દેવાથી એનો સામનો કરવો સહેલો થઇ જશે. જો તમે ધારી લેશો કે અમુક કામ તમારાથી નહીં થાય તો બધી જ મદદ મળવા છતાંય તમે એ કામ નહીં કરી શકો. સફળ વ્યક્તિ બદલાવથી ડરતી નથી.


સફળતા માટે પોતાને ફાવતી સ્થિતિનો મોહ છોડવો જરૂરી છે. પરિસ્થિતિ પ્રમાણે બદલાતા રહેવાની આદત કેળવો. ટોળાની વૃત્તિથી દૂર રહો. સામાન્ય લોકો રિવાજ કે પ્રથાને માને છે. એમનાથી થોડું જુદું વિચારો. ટોળાની વૃત્તિ સામાન્ય પરિણામ આપશે, સફળતાનું શિખર નહીં. સફળ લોકોના વિચારોનો અભ્યાસ કરી તમારી પરિસ્થિતિ પ્રમાણે અમલમાં મુકવાની કોશિશ કરો.


લેખકની આ સલાહો સફળ વ્યક્તિઓની વિચારશૈલીનો અભ્યાસ કર્યા બાદ અપાઇ છે. એ માને છે કે કોઇ પણ યોજનાને પાર પાડવા માટે યોગ્ય વિચાર પદ્ધતિનું હોવું અત્યંત જરૂરી છે.'



__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

[F4AG] ખરો ચિત્રકાર એ જ છે જે પોતે પોતાના ભગવાન છે

 

ખરો ચિત્રકાર એ જ છે જે પોતે પોતાના ભગવાન છે

Source: Kanti Bhatt    
 
કોઈપણ યુવાને પોતાના ટેમ્પરામેન્ટ પ્રમાણે જ જીવવું અને તે પ્રમાણે ચિત્રકાર, કવિ કે રખડુ બનવું હોય તો બનવું. ઈશ્વરે માનવીને આપેલી ભેટમાં કહ્યું છે કે, 'મારી અવેજીમાં તું જ તારો ભગવાન બન.'


For me painting is a way toForget-Life, It is a dry in theNight a stranged laugh.- Georges Roualt


સર ગોડ ફ્રે નેલર નામના જર્મન ચિત્રકારે અઢીસો વર્ષ પહેલાં કહેલું કે ઓન્લી ગોડ મેઈકસ પેઈન્ટર્સ. માત્ર વિધાતા જ ચિત્રકારને જન્મ આપે છે. પેઈન્ટિંગને સાઈલન્ટ પોએટ્રી પણ કહે છે, પરંતુ જ્યારે ઈશ્વર ચિત્રકારને ઘડે છે ત્યારે મોટા ભાગના ચિત્રકારને તે ગરીબ પણ રાખે છે-પાગલ જેવા રાખે છે કે તરંગી બનાવે છે. ચિત્રને 'શાંત કવિતા' કહે છે. ચિત્રકારની એક જમાનામાં કિંમત હતી. કવિની કિંમત હતી. આજે બહુ ઓછા કવિ કે ચિત્રકારની કિંમત થાય છે, પણ આજે આ લેખ લખતી વખતે આપણે ચિત્રકારની ખૂબ કિંમત કરી છે. 'સૌરાષ્ટ્ર' નામનું ચિત્ર સૈયદ હૈદર રઝાએ દોર્યું તે ચિત્ર તેની જીવનની સંધ્યાએ રૂ. ૧૯ કરોડ ઉપજાવી ગયું છે.


પણ વિન્સેન્ટ વાન ગોગ જેવા ચિત્રકારના ચિત્રની તો મરી ગયા પછી મોડે મોડે કિંમત થઈ હતી. ભલે ચિત્રકાર ગરીબ હોય, તરંગી હોય કે અવગણના થતી હોય આપણે કાર્લ વોન વેબરની વાત માનીને આજે થોડાક મનુ પારેખને અને ઝાઝા બધા વિન્સેન્ટ વાન ગોગને યાદ કરીએ. કાર્લ વોન વેબરે કહેલું કે 'એન આર્ટિસ્ટસ િસ્ફયર ઓફ ઈન્ફ્લુઅન્સ ઈઝ ધ વર્લ્ડ.' આ વાત ભારતના સૌરાષ્ટ્રના અને ગુજરાતના ઘણા કલાકારોને લાગુ પડે છે.


મકબુલ ફીદા હુસેન જે એમ. એફ. હુસેન તરીકે ઓળખાય છે તેનાં ચિત્રો અબજો રૂપિયામાં વેચાય છે, પણ બિચારા તેના વતનમાં હાડ્ય હાડ્ય થયેલો છે. ૧૯૬૯માં લગભગ ૪૦ વર્ષ પહેલાં હું કમાટીપુરાની વેશ્યા વિશે લેખ લખવા ગયો ત્યારે ત્યાંના એક થિયેટરના ભંડકિયામાં મકબુલ ફીદા હુસેનને સાદી બીડી પીતો પીતો રોજના રૂ. પાંચની મજૂરીથી સિનેમાના બોર્ડ ચીતરતો જોયો હતો. પણ આજે તેનું સ્ફિયર ઓફ ઈન્ફ્લુઅન્સ આખી દુનિયામાં છે. તમે તમારા બાળકની બચપણની પેઈન્ટિંગની હોબીને પ્રોત્સાહન આપો છો? બાળકને ચિત્રકાર થવું હોય ત્યારે શું કહો છો? અરે બેટા (કે દીકરી!) પેઈન્ટિંગમાં દા'ડો નહીં પાકે, કંઈ બીજું શીખ.


ફ્રેંચ વાર્તાકાર જોરિસ કાર્લ હુઝમેન્સને પેઈન્ટર થવું હતું પણ તેને પેઈન્ટિંગમાં કોઈ એ પાઈ પરખાવી નહીં પછી તે વાર્તાકાર થયો. વાર્તા દ્વારા તેણે પોતાની પીડા વ્યક્ત કરી. તેણે કહેલું કે માણસે જે પીડા આવે તે ભોગવી લેવી. કોઈ ને કોઈ કળા (લેખન, કવન, ચિત્રકામ, શિલ્પકામ વગેરે) હસ્તગત કરવી અને કદી જ સ્પિરિચ્યુઅલ બનવાનો ઢોંગ ન કરવો. સ્પિરિચ્યુઆલિઝમ એક જબ્બર એસ્કેપીઝમ છે-પલાયનવાદ છે, જ્યારે ચિત્રકામ કે કલા એક જાતનો રચાનાત્મક પલાયનવાદ છે.


મનુ પારેખ મૂળ અમદાવાદમાં જન્મેલા અને મુંબઈની જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં ભણ્યા. પહેલાં મુકુન્દ શ્રોફ નામના ચિત્રકાર પાસેથી ૧૨ની ઉંમરે ચિત્રકામ શીખ્યા. તેમને ગુજરાતી નાટકોમાં શરૂમાં વધુ યશ મળ્યો. તેમણે જર્મન ચિત્રકાર આનસેલ્સ કીફરનું સૂત્ર યાદ રાખ્યું. આ જર્મન ચિત્રકાર માબાપના આગ્રહથી કાયદો ભણ્યો પણ તેમણે ઘસીને કહી દીધું મારે વકીલ થવું નથી. મારે ચિત્રકાર થવું છે અને ચિત્રકાર થયા પણ ખરા. મનુ પારેખે તેમનું સૂત્ર સોને મઢીને રાખ્યું હોય તેમ લાગે છે.


આ સૂત્ર છે 'તમારે કલાકાર થવું છે? કવિ થવું છે? લેખક થવું છે?-તો તમારા હૃદયના ઘા બતાવો.' મનુ પારેખને ઘણા ઘા વાગ્યા હશે પણ તે ચિત્રકાર થયા પછી સૌથી મોટો ઘા તેમને ભાગલપુરના અમુક ગુનેગાર કે બહારવટિયાઓને ત્યાંની પોલીસે ધગધગતા સિળયા ચાંપીને અંધ બનાવી દીધા અને જગતભરમાં 'ભાગલપુર બ્લાઈન્ડિંગ'ના કિસ્સા તરીકે ભાગલપુર જગબત્રીસીએ ચઢયું ત્યારે એમ. વી. કામત, હું અને મનુ પારેખ ભાગલપુર આવેલા એ અંધ ગુનેગારોની કથની અને પીડા મનુ પારેખે ચિત્રો દ્વારા રજૂ કરેલી. પદ્મશ્રીનો ઈલ્કાબ પામેલા મનુ પારેખ માટે તો પાનાંનાં પાનાં ભરાય તેટલું લખાય.


એટલે આપણે જગતમાં સૌથી પ્રખ્યાત અને આજે પણ જેની બોલબાલા છે તે મૂળ હોલાન્ડના કલાકાર વિન્સેન્ટ વાન ગોગની વાત કરીએ. આજે મકબુલ ફીદા હુસેન કે મનુ પારેખ કે સૈયદ હૈદર રઝાના ચિત્રોના રૂ. ૧૯ કરોડ સુધી ઊપજે છે ત્યાં હો હા થાય છે પણ લગભગ પચીસ વર્ષ પહેલાં વાન ગોગના એક ફુલના ચિત્રના રૂ. ૫૨ કરોડ ઊપજ્યા હતા. તે રૂપિયાને આજના મૂલે મૂલવીએ તો રૂ. ૧ અબજ ઊપજયા ગણાય.


જિંદગીભર ગરીબી અને ઉપેક્ષા સહન કરનાર આ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગ તો નવો નવો ચિત્રકાર હતો ત્યારે તેનું ચિત્ર કોઈ ખરીદવા તૈયાર થતું નહોતું. પણ તેના મરણ પછી લંડનની ક્રિસ્ટી નામની અમૂલ્ય ચીજો-કલાકૃતિ-ઘરેણાનું લીલામ કરતી કંપનીમાં વિન્સેન્ટ વાન ગોગનાં ચિત્રનું લિલામ જાહેર થયું ત્યારે ૨૫ વર્ષ પહેલાં ૩૦૦ નામો ખરીદાર તરીકે નોંધાયેલાં. તેના ચિત્રની બોલી જ રૂ. ૧ કરોડથી શરૂ થયેલી. વિન્સેન્ટ વાન ગોગ મરણ પછી જ્યાં દટાયો હતો ત્યાં તેના અસ્થિ બાકી રહ્યા હોય તો ઊછળી પડે તેવી ગિરદી તેનાં ચિત્રો ખરીદનારાઓએ કરી હતી.


યોગાનુયોગ હું ૧૯૮૭ આજુબાજુ હોલેન્ડની યાત્રાએ ગયો ત્યારે જ હોલેન્ડના આ ચિત્રકારના ચિત્રનું લિલામ હતું. ૩૦ માર્ચ ૧૮૫૩માં હોલેન્ડના ઝુન્ડેર્ટ નામના એક ગામડામાં પાદરીને ત્યાં જન્મેલા વિન્સેન્ટ વાન ગોગના પિતાની ટૂંકી આવકની પૂર્તિ કરવા તેને વધુ ભણાવવાને બદલે એક કલાની ચીજોના વેપારીને ત્યાં તાલીમી તરીકે રાખ્યો. આ વેપારીની પાસે જગતભરનાં વિખ્યાત ચિત્રો-કલાકૃતિ વેચાવા આવતાં. તેના સેલ્સમેન તરીકે વાન ગોગ કલાકૃતિનું મૂલ્ય સમજયો. તેના તરંગી સ્વભાવને કારણે શેઠ સાથે ફાવ્યું નહીં. બેકાર ફર્યા પછી ૨૧ની ઉંમરે લંડનમાં નોકરીએ રહ્યો. એક રૂમ ભાડે રાખી તે રૂમની માલિકણ બાઈની પુત્રી ઉર્સુલા સાથે ખાલી ખિસ્સે પ્રેમમાં પડ્યો.


તેણે ચિત્રના વેપારીને ત્યાં નોકરી કરતાં કરતાં શોખ ખાતર ચિત્રો દોરવા માંડેલાં. ખાલી ખિસ્સાવાળા પ્રેમીને ઉર્સુલાએ ધકેલી દીધો એટલે પાછો તે હોલેન્ડ આવી ગયો. તેના પ્રેમનો ઉપહાસ થતાં એટલી બધી ગમગીનીમાં દટાઈ ગયો કે પછી નિરાશા ટાળવા સતત ચિત્રો દોરતો રહ્યો. ચિત્રકામમાં એટલો તલ્લીન થતો કે તરસ લાગે તો નજીકમાં ઘાસલેટનું ડબલું પડ્યું હોય તે પી જતો. અગર રંગવાળી પીંછી ધોવાનું ડહોળું પાણી પણ પી જતો. આવું પ્રવાહી પી પીને તેણે પેટને ખરાબ કરેલું. ક્યાંય ઠરીને ઠામ થાય નહીં. ચિત્રકાર તરીકેય ભાવ પુછાય નહીં એટલે મોટા ભાઈના પૈસાની મદદથી જીવતો. તેને ચિત્રકામની ધૂન હતી એટલે ભાઈએ તેને બેલ્જિયમની એન્ટવર્પની આર્ટ એકેડેમીમાં ભણવા મોકલ્યો.


વાન ગોગને ચિત્રકાર-શિક્ષકે એક સ્ત્રીનું ચિત્ર દોરવા કહ્યું. તેણે સ્ત્રીનું જે વાસ્તવિક લાગે તેવું ચિત્ર દોર્યું. કમર નીચેના ભાગને વધુ પડતો પહોળો ચીતર્યો. શિક્ષકે તેને ઠપકો આપ્યો. 'સુંદર સ્ત્રી આવી જાડી ન હોય. સ્ત્રી હોય તે સુંદર જ હોય તેમ માનીને ચિત્ર દોરવું.' પણ વાન ગોગે કહ્યું 'સ્ત્રી જ્યારે ગર્ભવતી થાય ત્યારે તેના આ ભાગમાં બાળક રહેવાનું હોય છે એટલે સ્ત્રીનો એ ભાગ પહોળો જ ભગવાને ઘડ્યો છે. શિક્ષક ગુસ્સે થયો અને વાન ગોગનું ચિત્ર ફાડી નાખ્યું. હોલેન્ડમાં ચિત્રકારની કદર નહીં થાય તેમ માની તે પેરિસ ગયો અને ત્યાં વિખ્યાત ચિત્રકાર પોલ ગોગીન સાથે દોસ્તી કરી તેની સાથે રહી તે ચિત્રો દોરતો. બન્નેએ મળીને પછી નજીકના એ ગામડે કલાધામ બનાવીને નાનાં બાળકોને ચિત્રદોરતા કર્યા.


પોલ ગોગીન પણ તરંગી હતો. ૧૭ની ઉંમરે ચિત્રકાર ગોગીન શેરબજારનો સટોડિયો બન્યો. શરૂમાં ખૂબ કમાયો પણ પછી ૧૮૮૪માં જ્યારે શેરબજાર તૂટ્યું ત્યારે ગોગીન રસ્તા પર આવી ગયો અને પાછો પેઈન્ટર બન્યો અને તે નગ્ન સ્ત્રીનાં ચિત્રો દોરતો તે તત્કાળ વેચાઈ જતાં. ગોગીન સ્ત્રીના શોખીન હતા. વેશ્યા પાસે પણ જતા. ત્યારે વાન ગોગ પાસે પૈસા નહોતા એટલે વેશ્યા તેને ઠુકરાવતી. ગુરુ ગોગીન પણ તેની ઉપેક્ષા કરે છે તે જોઈને તે પાગલ થઈ ગયો. પાગલખાનામાં રહ્યો. આપઘાત કરવાનું પણ વિચાર્યું પણ આખરે ચિત્રના શોખે તેને જીવતો રાખ્યો.


તેણે ગમગીની ટાળવા ૨૦૦ ચિત્રો દોર્યાં અને તેમાં સનફ્લાવર્સ (સૂરજમુખી)નું ચિત્ર પણ દોર્યું. આ બધું જ હતાશા અને નિરાશમાં સર્જન કર્યું અને સૂરજમુખીનું ચિત્ર તે ગોગીનને ભેટ આપીને પાછો ૧૮૯૦માં હોલેન્ડ આવ્યો અને પછી...? છેક ૯૭ વર્ષ પછી એ ચિત્રના રૂ. ૫૨ કરોડ ઊપજ્યા. આ ચિત્રના સર્જક વાન ગોગે ૩૭ની વયે આપઘાત કરવા પિસ્તોલથી પેટ ચીર્યું પણ મર્યો નહીં. આખરે દુ:ખી થઈ થઈને મર્યો ત્યારે વિન્સેન્ટ વાન ગોગની કબર ખોદવા માટે રૂ. ૫૨ની જરૂર હતી તે પણ તેના ઘરમાંથી નીકળ્યા નહીં! ૨૧મી સદીના ચિત્રકારો તમને ધરપત છે કે આજે વાન ગોગ જેવી ગરીબી કોઈ ભોગવશે નહીં.


હું માનું છું કે કોઈપણ યુવાને પોતાના ટેમ્પરામેન્ટ પ્રમાણે જ જીવવું અને તે પ્રમાણે ચિત્રકાર, કવિ કે રખડું બનવું હોય તો બનવું. આપણામાં ઈશ્વરે એક અદભૂત ભેટ આપી છે. તે ભેટમાં ઈશ્વરે કહ્યું છે કે, હે માનવ! તું મારી અવેજીમાં તું જ તારો ભગવાન બન.'

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

[F4AG] NEVER EVER GIVE UP!!!! ENJOY THE VIDEO.......

 



"NEVER EVER GIVE UP"

ENJOY THIS INSPIRING VIDEO....
 
http://www.youtube.com/watch?v=bx796zSg5gs
 
HAVE A NICE DAY!!!!!
 
REGARDS.....


Your E-mail and More On-the-Go. Get Windows Live Hotmail Free. Sign up now.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

[F4AG] હેલન કેલર : આંખ ઉઘાડવાની વેળા(સચરાચર)

 

હેલન કેલર : આંખ ઉઘાડવાની વેળા(સચરાચર)

 
સચરાચર - દિવ્યેશ વ્યાસ
 
હેલન કેલરે ૧૯ મહિનાની નાજૂક વયે બીમારીમાં પોતાની આંખ અને કાન ગુમાવી દીધાં હતાં. પોતાના જીવનને ઓશિયાળું કરી દેતી આ ઘટના પછી પણ હેલન કેલરે આત્મબળના જોરે જે કરી બતાવ્યું, તેને જોઈને વિશ્વભરના લોકોની આંખો ચાર થઈ ગઈ હતી. અનેક અંધ-બધિરને જીવનમાં નવી દૃષ્ટિ આપનારાં હેલન કેલરનો આજે જન્મદિવસ છે ત્યારે તેમના અનુભવના નિચોડસમાં કેટલાંક પ્રેરણાદાયી વાક્યોને મમળાવીએ...
 
હેલન કેલર, અઘોર અંધારામાં પ્રકાશપુંજ જેવું નામ. આ નામે કેટલાય અંધ-બધિરોને જીવનનો નવો રાહ ચીંધ્યો છે. આ નામે અનેક ઓશિયાળાં જીવનને આત્મવિશ્વાસથી સભર બનાવીને આનંદભર્યાં બનાવ્યાં છે. આ નામે અનેક વિકલાંગોને પોતાનું આત્મસન્માન અપાવ્યું છે.
 
અમેરિકાના અલ્બામા પ્રદેશના ટયૂસ્કમ્બિયા નામના નગરમાં જન્મેલાં હેલન કેલર કાંઈ જન્મે અંધ-બધિર નહોતાં. દોઢેક વર્ષની વયે તેમને તાવ આવ્યો. તેઓ લાંબા સમય સુધી બીમાર રહ્યાં અને કહેવાય છે કે મેનેન્જાઇટિસને કારણે તેમણે આંખનાં અમી ગુમાવ્યાં અને તેમની શ્રવણશક્તિ પણ ચાલી ગઈ. કુદરતે કીડીને કોસનો ડામ દીધા જેવું થયું, પણ હેલન કેલર પણ કુદરતનું જ ઉત્તમ બાળ હતાં. ૧૯૦૪માં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરીને તેઓ વિશ્વની પ્રથમ અંધ-બધિર યુવતી બન્યાં, જેણે સ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હોય. સ્નાતક થયા બાદ તેમણે જાહેર કરેલું કે તેમનું હવે પછીનું બાકીનું જીવન અંધ-બધિર અને વિકલાંગોના કલ્યાણનાં કાર્યોને જ સમર્પિત રહેશે. ૧ જૂન, ૧૯૬૮ના રોજ ૮૭ વર્ષની વયે તેમણે આખરી શ્વાસ લીધા ત્યાં સુધી આ વચન નિભાવ્યું હતું. પોતાના જીવનકાળ દરમિયાન સત્તા પર આવેલા તમામ અમેરિકન રાષ્ટ્રપ્રમુખને મળનારાં આ સન્નારી સમાજવાદી વિચારધારામાં માનતાં થયાં ત્યારે તેમણે વૈચારિક સંઘર્ષનો સામનો કરવો પડયો હતો. જોકે, ઝૂકવું અને રુકવું, તેમના સ્વભાવમાં નહોતું.
 
હેલન કેલરનું જિંદગી વિશેનું એક જાણીતું વાક્ય છે, ''જિંદગી એ એક્સાઇટિંગ બિઝનેસ છે, પરંતુ જ્યારે તે બીજા માટે જીવવામાં આવે છે ત્યારે તે મોસ્ટ એક્સાઇટિંગ બની જાય છે.'' યુવાનોને દિલમાં ચોંટી જાય તેવું તેમનું બીજું એક વાક્ય છે, ''જિંદગી એ કાં તો મહાન સાહસ છે, અથવા પછી કાંઈ નથી.''
 
હેલન કેલરે બીજી એક ચોટદાર વાત કરી હતી, ''દુનિયામાં સૌથી કરુણ બાબત કોઈ હોય તો તે એ છે કે માણસ જોઈ શકે, પણ તેનામાં દૃષ્ટિ ન હોય.'' આપણા બધાની દુખતી રગ જેવી આ બાબત છે. આપણે આંખે તો બધું જોઈ શકીએ છીએ, છતાં આપણામાંના મોટા ભાગના લોકોમાં દૃષ્ટિનો અભાવ હોય છે. માત્ર ચર્મચક્ષુથી જોવું, તે જોવું નથી, અંતર્ચક્ષુ પણ ઉઘાડા હોવા જોઈએ અને માણસને ભલા-બુરા, યોગ્ય-અયોગ્યનો વિવેક હોવો જોઈએ.
 
અંધજનો માટે પોતાનું આખું જીવન ન્યોછાવર કરનારાં હેલન કેલર આંખોની દૃષ્ટિ ધરાવતા લોકોને સંબોધતાં કહે છે, ''તમને ઈશ્વરે જે દૃષ્ટિ આપી છે, તેનો આભાર માનવાની સૌથી શ્રેષ્ઠ રીત કોઈ હોય તો તે અંધાપો જીરવી રહેલા લોકોનો હાથ થામવાની છે.''
 
સમાજવાદમાં માનનારાં હેલન કેલર સમાજમાં સામાજિક ન્યાયની સ્થિતિ કઈ રીતે ઊભી થઈ શકે એ બાબતે બહુ સ્પષ્ટ હતાં. તેમનું માનવું હતું કે, ''જ્યાં સુધી લોકોમાં એકબીજાના કલ્યાણ (વિકાસ) માટેની જવાબદારીની ભાવના પેદા નહીં થાય ત્યાં સુધી સામાજિક ન્યાયની આશા રાખી શકાય નહીં.'' સામાજિક કાર્યો કરવા માટે ઉત્સાહી લોકોને પોરસ ચડાવવા માટે તેમણે 'તારી હાંક સુણીને કોઈ ના આવે તો તું એકલો જાને રે...' પ્રકારની વાત પણ કરેલી છે. તેમના જ શબ્દોમાં એ વાત જોઈએ, ''હું સાવ એકલી જ છું, પણ હું એક તો છું. હું એકલા હાથે ભલે બધું નહીં કરી શકું, પરંતુ થોડું ઘણું તો કરી જ શકીશ. હું બધું કરી શકું એમ નથી એટલા કારણસર હું મારાથી બનતું થોડું કરવાનો પણ ઇનકાર ન કરી શકું.'' આ બે વાક્યમાં હેલન કેલરે કેટલી મોટી વાત કરી દીધી છે. આપણને હંમેશાં થતું હોય છે કે મારા એકલાથી શું થાય? હું એકલો આમ કરીશ તો કંઈ ફરક પડવાનો નથી અને એમ વિચારીને આપણે એ કરવાનું ટાળતા હોઈએ છીએ પરંતુ ત્યારે હેલન કેલરની આ વાત આપણે યાદ કરવા જેવી છે કે આપણે જે કંઈ થોડું ઘણું કરી શકીએ એ તો કરવું જોઈએ. આપણાથી ભલે બધું નથી થવાનું પણ તેનાથી કંઈ આપણે આપણાથી જે કંઈ થઈ શકે, તે કરવાનો ઇનકાર ન કરી શકીએ. આપણે ઘણી વાર આપણાથી કંઈ ન થઈ શકે તેના માટે આત્મદયા ખાતા હોઈએ છીએ. આપણો બચાવ શોધતા અને કરતાં હોઈએ છીએ. આ અંગે હેલન કેલર કહે છે, ''આત્મદયા એ આપણો સૌથી મોટો દુશ્મન છે અને આપણે જો તેને પેદા કરીશું તો આ દુનિયામાં આપણે ક્યારેય કોઈ ડહાપણનું કાર્ય કરી શકીશું નહીં. '' તેમણે લોકોમાં રહેલી સંવેદનહીનતા અંગે પણ કડક સ્વરમાં એક વાર કહેલું કે ''વિજ્ઞાને માનવજાતના અનેક દુશ્મનોનો ઇલાજ શોધી કાઢયો છે, પરંતુ આ બધામાં સૌથી ખરાબ દુશ્મન-માનવીમાં રહેલી સંવેદનહીનતાનો ઇલાજ શોધ્યો નથી.''
 
હેલન કેલરનું વ્યક્તિત્વ ગમે તેવા મોટા પડકાર સામે લડવાની પ્રેરણા પૂરી પાડે છે. તેમના એક વાક્ય સાથે વાત પૂરી કરીએ, ''આપણે કંઈ પણ કરી શકીએ એમ છીએ, જો આપણે પૂરતા સમય સુધી લાગ્યા રહીએ તો.'' તો બધી ચિંતા છોડો. બસ, લગે રહો... કેવા ભાઈ?

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Get real-time World Cup coverage on the Yahoo! Toolbar. Download now to win a signed team jersey!

.

__,_._,___

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...