કેટલાક નોંધપાત્ર સમાચાર, ૧.. રાહુલ ગાંધી દલિતની ઝૂંપડીમાં લુખૂસુખું ખાઇ,ગંદા ખાટલા પર રાત વિતાવી,તે બાબત પર,માયાવતી લાલઘૂમ,પણ શત્રુધ્ન સિંહાએ કરેલાં વખાણ. પ્રિય મિત્રો, ઉપરના સમાચાર વાંચી,આપને પણ કલ્પનાના ચાળે ચઢવાનું મન ના થાય તોજ નવાઇ!!! "यत्कर्तव्यं न जानाति कृतं जानाति चेतरः| नैव वक्तित च कर्तव्यं कृतं यश्चोत्तमो नरः||" "જે મનુષ્ય,કરવા યોગ્ય કાર્ય તથા તેના અમલ માટે યોજેલા ઉપાયોની મનમાં કરેલી વિચારણા કે ગોઠવણ અત્યંત ગુપ્ત રાખી શકે,અને તે અનુસાર પાર પાડેલાં કાર્યની જ જગતમાં જાણ થાય - તેવીરીતે પોતાનાં કાર્ય પાર પાડી શકે તે ભવિષયમાં અવશ્ય મહાન બને છે.કાર્ય શરુ કરતાં પહેલાં તે અંગે મારેલી ડંફાસો(આડંબર) મૂર્ખતા દર્શાવે છે." આદરણીય યુવરાજ શ્રીરાહુલ ગાંધી આજકાલ દલિતની ઝૂંપડીમાં લુખૂસુખું ખાઇ,ગંદા ખાટલા પર રાત વિતાવવી,ટ્રેઇનમાં મુસાફરી કરવી વિગેરે,વિગેરે કાર્ય દ્વારા "મહાત્મા"નું બિરુદ મેળવવાના અતિ શુભકાર્યમાં,પરમ આદરણીય માતુશ્રીના શુભાશિષ મેળવી,અતિ શુભાશયથી જોતરાઇ ગયા છે. તેજપ્રમાણે,આદરણીય શ્રી રાહુલ મહાજન અત્યંત વિનમ્ર ચહેરા સાથે પોતાના સ્વયંવરની ટીવી ઍડમાં તાલેમાલે તૈયાર થઇ,માથાની ફરેલી,માતા-પિતાના કહ્યામાં હોય ના હોય તેવી કુંવારી,ત્યક્તા,માંડેલી,રાંડેલી,જેવી હોય તેવી કન્યાઓને પરણવા આમંત્રણ આપતા નજરે પડે છે.છેલ્લા સમાચાર મુજબ,ઘણી કૉડભરી કન્યાઓએ આ શુભકાર્યમાં ટીવી પર ચહેરા ચમકાવવા સંમતી આપી છે. જોકે,એ વાત અલગ છે કે,આપણા આદરણીય રાહુલ ગાંધીનું અંતિમ ધ્યેય અલગ હોવાથી,લગ્નના પ્રશ્ને,થોડા શરમાઇ,થોડાગભરાઇ,જવાબ આપતાં થોથવાઇ જાય છે. અમારા વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં રહેતા, એક સ્વાભિમાની દલિત શાયરના જણાવ્યા પ્રમાણે,એજ વસાહતમાં રહેતા,લગ્નની વયે પહોંચેલી દિકરીના કેટલાક ગરીબ માતા-પિતાઓ આશા રાખે છે કે, આદરણીય યુવરાજ શ્રીરાહુલ ગાંધી એમના મહેમાન બની,એમની દિકરી સાથે લગ્ન કરી,સાચા અર્થમાં ગાંઘી-વિચારને મૂર્તિમંત કરશે. અમો સડેલા નાગરિકોની,સડેલી ખોપરીના,સડેલા મગજમાંથી નિપજેલી સડેલી સલાહ જો,આદરણીય યુવરાજ શ્રીરાહુલ ગાંધીતથા તેમનાં પરમ આદરણીય માતુશ્રી જો માને તો,એમના આશિર્વાદ મેળવી,આદરણીય યુવરાજશ્રીએ,આ પ્રયોગ કરવા જેવો છે.નુકશાન નથી,હિંદુસ્તાનની ગાદી ઓછામાં ઓછી સાત પેઢી સુધી ગાંધી પરિવારના નામે જનતા લખી આપશે. જો આમ થાય તો,દરેક રાજ્યમાં અઢળક રાહતો મેળવી,ઉદ્યોગ નાંખ્યા વગર જ,પહેલાજ દિવસથી નફો રળવા,દરેક રાજ્યના મૂખ્યમંત્રીઓમાં,ભાવી વડાપ્રધાનને શોધવાની,જાહેરમાં ભાટાઇ કરતા,ઉદ્યોગપતિઓ ને ભોંઠા પડતા જોવાની,દરેકને મઝા આવશે. કારણકે,વડાપ્રધાનની ખૂરશીને,નજર લાગે એવી,નફ્ફટ નજરથી તાકી રહેતા,અને તેને પામવા લાળ દદડાવતા,અનેક લેભાગુ નેતાઓના મનોરથો ધૂળમાં મળી જશે. મોટી કાયાવતીઓ(માયાવતી)ના દલિત કાર્ડની હવા નીકળી જશે.શત્રૂ સિંહાઓ, સિંહગર્જના છોડી,બકરી બેં થઇ,મિત્ર બની "ખામોશ" થઇ જશે. પણ હાયરે ગરીબ કન્યાઓનું નસીબ!!! ના તો અણવર શ્રીરાહુલ ગાંધી આમ કરશે કે ના તો બીજવર શ્રીરાહુલ મહાજન આમ થવા દેશે. "વો દિન કહાઁ કી ___ કે પાઁવ મેં જૂતી!!!" બાય ધ વૅ,શ્રીમોદીસાહેબ ને પત્રકારો, ઉલ્ટાવી-સુલ્ટાવીને,વડાપ્રધાન બનવા અંગે સવાલો કરે તો એ વખતે,ખોંખારીને ના કહેવાને બદલે,શ્રીમોદીસાહેબ,મૂછમાં હસતા કેમ હશે!!! સાલું, ગલગલિયાઁ મને થાય છે. માર્કંડ દવે. તાઃ૦૪-૧૦-૨૦૦૯. |
__._,_.___
Change settings via the Web (Yahoo! ID required)
Change settings via email: Switch delivery to Daily Digest | Switch format to Traditional
Visit Your Group | Yahoo! Groups Terms of Use | Unsubscribe
.
__,_._,___
No comments:
Post a Comment