કોબ્રા કેળું
મારો બ્લોગઃ- http://markandraydave.blogspot.com/2010/04/blog-post_04.html
" ઝેર પચાવી જાણે તેજ શંકર ભોળા..!!
કેર વર્તાવી જાણે કદીક કોબ્રા કેળાં..!!"
==============
(પ્રિય મિત્રો,એક સત્ય ઘટના - સમય,સ્થળ,પાત્રનાં નામ બદલી નાંખેલ છે.)
"તમારા મિત્રએ આપઘાતનો પ્રયત્ન કર્યો છે.આ તો પોલીસકેસ છે.મારે કાયદેસર કાર્યવાહી કરવી પડશે." ડૉક્ટરસાહેબે, બેભાન થઈ ગયેલા, કર્ણની શારીરિક તપાસ કરીને કહ્યું. કર્ણની સાથે આવેલો પ્રભાકર આઘાત પામીને અવાચક થઈ ગયો.
થોડીવારે કળ વળતાં પ્રભાકર બોલ્યો," સાહેબ, એવું કાંઈ નથી.અમે બંને બેંકના કર્મચારી છે અને ઈન્ટરનલ ઑડીટ માટે બે દિવસથી અહીં આવેલા છે. કર્ણને નથી કોઈ ચિંતા કે નથી તે કોઈના પ્રેમમાં..!! કર્ણ મારી સાથેજ છે, પછી આપઘાતની કોશિશ કેવીરીતે કરી હોય?"
ડૉક્ટરસાહેબે કહ્યું,"પણ તેમણે ઝેર લીધું છે,તમે આ ભાઈ..શું નામ કહ્યું ?...હા..,કર્ણને થોડીવાર એકલા મૂકીને આઘાપાછા થયા હોય ત્યારે,તેમણે આપઘાતનો પ્રયત્ન કર્યો હોય તેમ શક્ય છેને?"
પ્રભાકરે કહ્યું," પણ સાહેબ, આપ કર્ણની ટ્રીટમેન્ટ જલ્દી શરૂ કરો, હું અમારી બેંકના ઑફિસરને બોલાવી બાકીની કાર્યવાહી પુરી કરાવું છું."
ડૉક્ટર સાહેબે નર્સને જરૂરી સૂચનાઓ આપીને,કર્ણને પરસેવો વળે તેથી ઍ.સી. બંધ કરીને, ઈંજેક્શન્સનો મારો ચાલુ કરી દીધો.થોડીજ વારમાં,કર્ણના પેટમાંથી ઉલ્ટીઓ દ્વારા ઝેર સાથે અર્ધ પચેલો ખોરાક, અત્યંત દુર્ગંધ સાથે, બહાર આવવા લાગ્યો.
પ્રભાકરે બેંકના મૅનેજર અને હૅડઑફિસ, ફૉન કરીને,ધડાધડ વિગતો જણાવી દીધી થોડીવારમાં તો, બેંકના મેનેજર સહિત, જેમને જાણ થઈ તે તમામ દોડી આવ્યા. કર્ણએ બેભાન થતા અગાઉ, પ્રભાકરને, પોતાને ત્યાં માતા-પિતા અને પત્નીને કોઈજ વિગત આપીને, ચિંતામાં નાંખવાની ના પાડી હતી,પણ હવે શું? કદાચ પરિસ્થિતિ ગંભીર થઈ જશે તો?
ખેર, પ્રભાકરે બેંકના મેનેજરસાહેબને આ બાબતે વાત કરતાં તેમણે પણ, થોડીવાર બાદ ડૉક્ટરસાહેબનો અભિપ્રાય આવી જાય પછીજ, કર્ણનાં ઘેર જાણ કરવી તેમ જણાવતાં,પ્રભાકરના મનને શાંતી થઈ.
આશરે ત્રણેક કલાક બાદ, ઉલ્ટી,ઝાડા અને પરસેવા વાટે મોટાભાગનું ઝેર ઊતરી જતાંજ, કર્ણએ ભાનમાં આવીને આંખો ખોલી,પહેલો શબ્દ `પ્રભાકર` ઉચ્ચાર્યો. ડોક્ટરસાહેબે બહાર આવીને, પ્રભાકર તથા અન્ય સ્ટાફને વારાફરતી,કર્ણને મળવાની રજા આપતાં, હવે કર્ણ સંપૂર્ણ ભયમૂક્ત હોવાનું જણાવ્યું.
જોકે, પ્રભાકર અંદરના રૂમમાં કર્ણને મળવા ગયો ત્યારે તેણે ફરીથી આગ્રહ કરીને પોતાના ઘેર, આ બનાવની જાણ ના કરવા માટે, લગભગ કરગરતા અવાજે વિનંતી કરી, આશરે બસ્સો કિલોમીટર દૂરથી બધાને કારણ વગર, નાહક દોડાવવાં..!!
થોડીવારે બેંકના સ્ટાફની ભીડ ઓછી થયા બાદ,પ્રભાકરે કર્ણને, ઝેર લેવાનું કારણ પૂછ્યું તો, તે બાબત જાણીને, હવે અવાચક થવાનો વારો કર્ણનો હતો. તેણે પોતાના માતા-પિતા અને પત્નીના સોગન ખાઈને પોતે ઝેર તો શું ? બેંકમાંથી બહાર નીકળ્યા પછી, પાણી પણ, ન પીધું હોવાનું ખાત્રીપૂર્વક જણાવ્યું.
જોકે થોડીવાર પછી,કર્ણને યાદ આવતાં તેણે જે જણાવ્યું તેની સમજ ડૉક્ટરસાહેબ સિવાય અન્ય કોઈને ના પડી.
કર્ણને, સોમવારનો ઉપવાસ હોવાથી,બેંકની બહાર, પ્રભાકરની રાહ જોતાં જોતાં, લારીવાળા પાસેથી ખરીદીને, ત્રણ પાકાં કેળાં ઝાપટ્યાં હતાં. પણ કેળાં તો હજારો લોકો રોજ ખાય છે..!! કેળાં ખાવાથી ઝેર થોડુંજ ચઢે?
"જરૂર ચઢે. કેળાં ખાવાથી પણ ઝેર ચઢે." ડૉક્ટરસાહેબે,હાજર રહેલા તમામ સ્ટાફને સમજાવ્યું." આ ઝેર કિંગ કૉબ્રા નાગનું હતું,કારણકે, ઝેરની અસર થતાંજ સહુથી પહેલી દ્રષ્ટી ચાલી ગઈ હતી.કર્ણને આંખે દેખાતું બંધ થઈ ગયું હતું.અને પછી નખ તથા હોઠ ભૂરા પડી ગયા હતા."
ડૉક્ટરસાહેબે ઉમેર્યું," કેળામાં કિંગ કોબ્રાનું ઝેર ના જ હોઈ શકે, પરંતું ક્યારેક એમ બનેકે, ઠંડકને કારણે કેળાં ના ખેતર અથવા કેળાં પકવવા માટેના ગોડાઉનમાં, કિંગ કોબ્રાએ કેળાં ઉપર બેઠેલા કોઈ જીવજંતુનો શિકાર કરવા ઝેરની પીચકારી છોડીને ડંખ માર્યો હોય અને તે કેળાંની છાલને છેદીને,કેળાંના ગર્ભમાં ઝેર પ્રસરી ગયું હોય અને તેજ કેળું, આ કર્ણ જેવા નસીબદારને, ભાગે ખાવામાં આવી ગયું હોય તેમ બની શકે છે..!!"
ડૉક્ટરસાહેબના મોંઢે વિગત જાણીને, કર્ણ એટલુંજ બોલ્યો," સાહેબ, હું નસીબદાર તો ખરો..!! તોજ સમયસરની સારવાર મળી અને આપના હાથે હું સાજો થઈ ગયો."
ડૉક્ટરસાહેબે મલકાતાં કહ્યું," કર્ણ, તમે હજી સાજા થયા નથી, તમારે ચોવીસ કલાક, અહીંજ મારા ઑબ્ઝરવેશનમાં રહેવું પડશે.હા..!! તમને હું ભયમૂક્ત જરૂર કહીશ."
પ્રભાકર અને કર્ણ, બંને એકસાથે `થેંક્સ` બોલી ઉઠ્યા.
જોકે, આ બનાવને આજે દસ વર્ષ થયાં છે,પણ કર્ણ અને પ્રભાકરે ત્યાર પછી ક્યારેય કેળાં ખાધાં નથી, રખેને દરવખતે નસીબ સાથ ના આપે તો....???
મિત્રો, કેળાં કે બીજાં ફળફળાદી,શાકભાજી ખાતા પહેલાં, ધ્યાન રાખવા જેવું ખરું.
આપનું શું માનવું છે?
માર્કંડ દવે.તા.૦૫-૦૪-૨૦૧૦.
મારો બ્લોગઃ- http://markandrayda
" ઝેર પચાવી જાણે તેજ શંકર ભોળા..!!
કેર વર્તાવી જાણે કદીક કોબ્રા કેળાં..!!"
============
(પ્રિય મિત્રો,એક સત્ય ઘટના - સમય,સ્થળ,પાત્રનાં નામ બદલી નાંખેલ છે.)
"તમારા મિત્રએ આપઘાતનો પ્રયત્ન કર્યો છે.આ તો પોલીસકેસ છે.મારે કાયદેસર કાર્યવાહી કરવી પડશે." ડૉક્ટરસાહેબે, બેભાન થઈ ગયેલા, કર્ણની શારીરિક તપાસ કરીને કહ્યું. કર્ણની સાથે આવેલો પ્રભાકર આઘાત પામીને અવાચક થઈ ગયો.
થોડીવારે કળ વળતાં પ્રભાકર બોલ્યો," સાહેબ, એવું કાંઈ નથી.અમે બંને બેંકના કર્મચારી છે અને ઈન્ટરનલ ઑડીટ માટે બે દિવસથી અહીં આવેલા છે. કર્ણને નથી કોઈ ચિંતા કે નથી તે કોઈના પ્રેમમાં..!! કર્ણ મારી સાથેજ છે, પછી આપઘાતની કોશિશ કેવીરીતે કરી હોય?"
ડૉક્ટરસાહેબે કહ્યું,"પણ તેમણે ઝેર લીધું છે,તમે આ ભાઈ..શું નામ કહ્યું ?...હા..,કર્ણને થોડીવાર એકલા મૂકીને આઘાપાછા થયા હોય ત્યારે,તેમણે આપઘાતનો પ્રયત્ન કર્યો હોય તેમ શક્ય છેને?"
પ્રભાકરે કહ્યું," પણ સાહેબ, આપ કર્ણની ટ્રીટમેન્ટ જલ્દી શરૂ કરો, હું અમારી બેંકના ઑફિસરને બોલાવી બાકીની કાર્યવાહી પુરી કરાવું છું."
ડૉક્ટર સાહેબે નર્સને જરૂરી સૂચનાઓ આપીને,કર્ણને પરસેવો વળે તેથી ઍ.સી. બંધ કરીને, ઈંજેક્શન્સનો મારો ચાલુ કરી દીધો.થોડીજ વારમાં,કર્ણના પેટમાંથી ઉલ્ટીઓ દ્વારા ઝેર સાથે અર્ધ પચેલો ખોરાક, અત્યંત દુર્ગંધ સાથે, બહાર આવવા લાગ્યો.
પ્રભાકરે બેંકના મૅનેજર અને હૅડઑફિસ, ફૉન કરીને,ધડાધડ વિગતો જણાવી દીધી થોડીવારમાં તો, બેંકના મેનેજર સહિત, જેમને જાણ થઈ તે તમામ દોડી આવ્યા. કર્ણએ બેભાન થતા અગાઉ, પ્રભાકરને, પોતાને ત્યાં માતા-પિતા અને પત્નીને કોઈજ વિગત આપીને, ચિંતામાં નાંખવાની ના પાડી હતી,પણ હવે શું? કદાચ પરિસ્થિતિ ગંભીર થઈ જશે તો?
ખેર, પ્રભાકરે બેંકના મેનેજરસાહેબને આ બાબતે વાત કરતાં તેમણે પણ, થોડીવાર બાદ ડૉક્ટરસાહેબનો અભિપ્રાય આવી જાય પછીજ, કર્ણનાં ઘેર જાણ કરવી તેમ જણાવતાં,પ્રભાકરના મનને શાંતી થઈ.
આશરે ત્રણેક કલાક બાદ, ઉલ્ટી,ઝાડા અને પરસેવા વાટે મોટાભાગનું ઝેર ઊતરી જતાંજ, કર્ણએ ભાનમાં આવીને આંખો ખોલી,પહેલો શબ્દ `પ્રભાકર` ઉચ્ચાર્યો. ડોક્ટરસાહેબે બહાર આવીને, પ્રભાકર તથા અન્ય સ્ટાફને વારાફરતી,કર્ણને મળવાની રજા આપતાં, હવે કર્ણ સંપૂર્ણ ભયમૂક્ત હોવાનું જણાવ્યું.
જોકે, પ્રભાકર અંદરના રૂમમાં કર્ણને મળવા ગયો ત્યારે તેણે ફરીથી આગ્રહ કરીને પોતાના ઘેર, આ બનાવની જાણ ના કરવા માટે, લગભગ કરગરતા અવાજે વિનંતી કરી, આશરે બસ્સો કિલોમીટર દૂરથી બધાને કારણ વગર, નાહક દોડાવવાં..!!
થોડીવારે બેંકના સ્ટાફની ભીડ ઓછી થયા બાદ,પ્રભાકરે કર્ણને, ઝેર લેવાનું કારણ પૂછ્યું તો, તે બાબત જાણીને, હવે અવાચક થવાનો વારો કર્ણનો હતો. તેણે પોતાના માતા-પિતા અને પત્નીના સોગન ખાઈને પોતે ઝેર તો શું ? બેંકમાંથી બહાર નીકળ્યા પછી, પાણી પણ, ન પીધું હોવાનું ખાત્રીપૂર્વક જણાવ્યું.
જોકે થોડીવાર પછી,કર્ણને યાદ આવતાં તેણે જે જણાવ્યું તેની સમજ ડૉક્ટરસાહેબ સિવાય અન્ય કોઈને ના પડી.
કર્ણને, સોમવારનો ઉપવાસ હોવાથી,બેંકની બહાર, પ્રભાકરની રાહ જોતાં જોતાં, લારીવાળા પાસેથી ખરીદીને, ત્રણ પાકાં કેળાં ઝાપટ્યાં હતાં. પણ કેળાં તો હજારો લોકો રોજ ખાય છે..!! કેળાં ખાવાથી ઝેર થોડુંજ ચઢે?
"જરૂર ચઢે. કેળાં ખાવાથી પણ ઝેર ચઢે." ડૉક્ટરસાહેબે,હાજર રહેલા તમામ સ્ટાફને સમજાવ્યું." આ ઝેર કિંગ કૉબ્રા નાગનું હતું,કારણકે, ઝેરની અસર થતાંજ સહુથી પહેલી દ્રષ્ટી ચાલી ગઈ હતી.કર્ણને આંખે દેખાતું બંધ થઈ ગયું હતું.અને પછી નખ તથા હોઠ ભૂરા પડી ગયા હતા."
ડૉક્ટરસાહેબે ઉમેર્યું," કેળામાં કિંગ કોબ્રાનું ઝેર ના જ હોઈ શકે, પરંતું ક્યારેક એમ બનેકે, ઠંડકને કારણે કેળાં ના ખેતર અથવા કેળાં પકવવા માટેના ગોડાઉનમાં, કિંગ કોબ્રાએ કેળાં ઉપર બેઠેલા કોઈ જીવજંતુનો શિકાર કરવા ઝેરની પીચકારી છોડીને ડંખ માર્યો હોય અને તે કેળાંની છાલને છેદીને,કેળાંના ગર્ભમાં ઝેર પ્રસરી ગયું હોય અને તેજ કેળું, આ કર્ણ જેવા નસીબદારને, ભાગે ખાવામાં આવી ગયું હોય તેમ બની શકે છે..!!"
ડૉક્ટરસાહેબના મોંઢે વિગત જાણીને, કર્ણ એટલુંજ બોલ્યો," સાહેબ, હું નસીબદાર તો ખરો..!! તોજ સમયસરની સારવાર મળી અને આપના હાથે હું સાજો થઈ ગયો."
ડૉક્ટરસાહેબે મલકાતાં કહ્યું," કર્ણ, તમે હજી સાજા થયા નથી, તમારે ચોવીસ કલાક, અહીંજ મારા ઑબ્ઝરવેશનમાં રહેવું પડશે.હા..!! તમને હું ભયમૂક્ત જરૂર કહીશ."
પ્રભાકર અને કર્ણ, બંને એકસાથે `થેંક્સ` બોલી ઉઠ્યા.
જોકે, આ બનાવને આજે દસ વર્ષ થયાં છે,પણ કર્ણ અને પ્રભાકરે ત્યાર પછી ક્યારેય કેળાં ખાધાં નથી, રખેને દરવખતે નસીબ સાથ ના આપે તો....???
મિત્રો, કેળાં કે બીજાં ફળફળાદી,શાકભાજી ખાતા પહેલાં, ધ્યાન રાખવા જેવું ખરું.
આપનું શું માનવું છે?
માર્કંડ દવે.તા.૦૫-૦૪-૨૦૧૦.
__._,_.___
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment