સ્વામી સચ્ચિદાનંદ લખે છે મહાભારતની જીવનકથાઓSource: Gunvant Shah, Vicharo na Vrindavan Ma જગતમાં એવો એક પણ ધર્મ નથી, જેમાં કાળક્રમે કચરો જમા ન થયો હોય. એ કચરાને પણ પવિત્ર ગણવાનો અને સાચવી રાખવાનો બોધ આપે તેવા માણસને લોકો 'ધર્મગુરુ' કહે છે. મહંત-મુલ્લા-પાદરી જેવા ત્રણ ખલનાયકો સદીઓથી જામી પડેલા 'ધાર્મિક' કચરાનું રક્ષણ કરતા આવ્યા છે. પ્રત્યેક ધર્મમાં માર્ટિન લ્યુથર, દયાનંદ, વિવેકાનંદ, નર્મદ, દુર્ગારામ અને ગાંધી જેવા સુધારકો સમયાંતરે પેદા થવા જોઇએ. જે ધર્મમાં વીર નર્મદ કે દુર્ગારામ મહેતાજી કે જ્યોતિબા ફુલે પાકી જ ન શકે, તે ધર્મ કાળક્રમે સડે છે અને ધર્મમાં શ્રદ્ધા રાખનારી પ્રજાને પછાત રાખવામાં સફળ થાય છે. ખ્રિસ્તી ધર્મસુધારક માર્ટિન લ્યુથરને પ્રતાપે પોપની સત્તા સામે પડકાર ઊભો થયેલો. પ્રોટેસ્ટ પરથી 'પ્રોટેસ્ટન્ટ' શબ્દ બન્યો છે. લ્યુથરના વિદ્રોહને પ્રતાપે ખ્રિસ્તી પરંપરામાં પ્રોટેસ્ટન્ટ મિજાજ પેદા થયો. એ મિજાજ યુગપ્રવર્તક બની રહ્યો. એ મિજાજને કારણે પોપની અંધશ્રદ્ધાળુ માયાજાળમાંથી ખ્રિસ્તી પ્રજા તે કાળે મુક્ત બની. સ્વામી સચ્ચિદાનંદજી હિંદુ પરંપરાના ભગવાંધારી સાધુ છે અને એમનો 'પ્રોટેસ્ટન્ટ મિજાજપ્ત સદીઓથી જામી પડેલા એવા પવિત્ર ગણાતા કચરા સામે વિદ્રોહ જગાડનારો છે. આવો પ્રાણવાન વિદ્રોહ જ ધર્મને બચાવી લેતો હોય છે. સ્વામીજીએ ગુજરાતને અનેક સુંદર પુસ્તકો આપ્યાં છે. લાંબા પ્રવાસો કરીને એમણે ગુજરાતનાં દૂર દૂરનાં ગામોમાં જઇને સુધારાનો શંખધ્વનિ પહોંચાડ્યો છે. એમનાં પુસ્તકો ખૂબ વંચાય છે અને વેચાય છે. સાધુવેશ ધારણ કરનારા આ સંત, લોકોને દંભી સાધુઓ સામે નિર્ભયપણે ચેતવે છે. પંકજ ત્રિવેદીની હત્યા થઇ ત્યારે એમણે જે ઉચિત ક્રોધ(મન્યુ)પ્રગટ કર્યો તેમાં ગાંધીજીને ગમી જાય તેવી નિર્ભયતા હતી. અહિંસા જ્યારે કાયરતા, અનિર્ણાયકતા અને મધુર છતાં જુઠા શબ્દને પનારે પડે ત્યારે એ મહાત્મા ગાંધીની કે મહાવીરની અહિંસા રહેતી નથી. મહાવીર સ્વામીએ મેઘકુમારને ઉપદેશ આપ્યો ત્યારે કહ્યું હતું : 'અભય વિનાની અહિંસા તો અહિંસા જ નથી.' સાચી વાત ગોળ ગોળ વાણીમાં દબાતા સાદે કહે તે કદી પણ 'ગાંધીજન' ન હોઇ શકે. મધરાતે આશ્રમમાં થયેલા હુમલામાં સ્વામીજી બચી ગયા એ ગુજરાતનું સદ્નસીબ ગણાય. એક કિલોગ્રામ ધર્મમાં એક ટન અંધશ્રદ્ધા ભળે ત્યારે ધર્મ ક્ષીણ થાય છે. જે તે ધર્મમાં પેઠેલાં હઠીલાં અનિષ્ટોની સામે એ ધર્મમાં જ એવાં સુધારક પરબિળો પેદા થવાં જોઇએ, જે વિદ્રોહ જગાડે. એ વિદ્રોહ ધર્મરક્ષક છે. હિંદુ ધર્મમાં એટલાં અનિષ્ટો પેઠાં છે કે એક સચ્ચિદાનંદ ઓછા પડે. ચમત્કાર, વહેમ અને અંધશ્રદ્ધા સામે લડવા માટે જે હિંમત જોઇએ તે ક્યાંથી લાવવી? નિર્ભયતા વિનાની સાધુતા એટલે રીફિલ વિનાની બોલપેન! સ્વામીજીએ લખેલા એક એવા પુસ્તકની વાત કરવી છે, જે પ્રત્યેક ગુજરાતીએ વાંચવું જોઇએ. સાવ સરળ ભાષામાં લખાયેલી મહાભારતની કથાઓ એટલી રસપૂર્ણ છે કે વાચકને પુસ્તક છોડવાનું મન ન થાય. ('મહાભારતની જીવનકથાઓ, સ્વામી સચ્ચિદાનંદ, ગૂર્જર સાહિત્ય ભવન, અમદાવાદ-૧, રૂ.૧૨૦/-) આ કથાઓને અંતે સ્વામીજીએ જે મૌલિક ટિપ્પણી કરી છે તે કથાનો મર્મ અધ્યતન સંદર્ભમાં પ્રગટ કરનારી છે. અહીં માત્ર એક જ પ્રસંગકથા પ્રસ્તુત છે : પુત્ર ઉત્પન્ન કરતાં પહેલાં (અગસ્ત્ય) ઋષિએ લોપામુદ્રાને પૂછ્યું હતું : 'તારે હજાર પુત્રો જોઇએ છે કે સો પુત્રો?' પછી ફરી પૂછ્યું : 'તારે સો પુત્રો જોઇએ કે દસ પુત્રો?' ફરી પૂછ્યું : 'તારે દસ પુત્રો જોઇએ કે એક પુત્ર?' લોપામુદ્રાએ કહ્યું કે : 'મારે તો હજારની બરાબરી કરે તેવો એક જ પુત્ર જોઇએ છે. કુરકુરિયાંને ભેગાં કરીને હું શું કરું?' આ રીતે ઋષિને એક પુત્ર ઇધ્મવાહ થયો. પિતૃઓ તૃપ્ત થયા. સંતાનપ્રાપ્તિ પણ જીવનનો લહાવો છે. તે પૂરો થયો. બોધપાઠ છે : સંસારથી ભાગો નહીં. પારકાં છોકરાંને ચેલા બનાવવા તેના કરતાં પોતાનાં જ સંતાન પેદા કરો. (મહાભારત, વનપર્વ ૯૬-૯૭મો અધ્યાય) પુસ્તકને પાને પાને એકવીસમી સદીને સુપેરે સમજનારા ક્રાંતિકારી સાધુનું જીવનદર્શન પ્રગટ થતું દીસે છે. એ જીવનદર્શન કેટલું અધ્યતન છે તેનો પરચો કરાવે તેવા પ્રાણવાન શબ્દો સાધુના સ્વમુખેથી પ્રગટ થયા છે. સાંભળો : 'કામ સ્વયં ઊર્જા છે, મહાઊર્જા છે. તે છે તો જીવન છે. તે નથી તો જીવન નથી. પણ આ ઊર્જાને મિત્ર બનાવતાં ન આવડે, તો તે વિનાશક પણ છે. કામને મિત્ર બનાવવા માટે નીતિશાસ્ત્રો છે. તેમણે મર્યાદા બાંધી છે. ઊર્જા મર્યાદામાં રહે, તો જ મહાનિર્માણ કરી શકે. અગ્નિ ચૂલામાં રહે તો જ રસોઇ બને. જો ચૂલા બહાર આખા ઘરમાં ફેલાઇ જાય તો મહાવિનાશ નોતરી મૂકે. કામનું પણ આવું જ છે. જ્યારે જ્યારે કામ, મર્યાદા મૂકીને બહાર નીકળ્યો છે, ત્યારે ત્યારે મહાવિનાશ થયો છે.' આવા શબ્દો નવી પેઢી સુધી કોણ પહોંચાડશે? એમાં ક્યાંય કાન પર જનોઇ ચડાવીને કે નાક બંધ કરીને દુર્ગંધથી બચવાની વાત નથી. સેક્સ નામની પવિત્ર બાબતનો આવો તંદુરસ્ત સ્વીકાર સ્વસ્થ સમાજના નિર્માણ માટે જરૂરી છે. બેજવાબદાર સેક્સ સુનામી સજેઁ છે. આ લખાણ વાંચી રહ્યા પછી દોડીને આ પુસ્તક ખરીદવા જેવું છે. આ પુસ્તક કોને અર્પણ થયું છે? સાંભળો : 'મારી દ્રષ્ટિએ મહાભારતનું સૌથી વધુ વાસ્તવવાદી અને મારું પ્રિય પાત્ર, જેણે પ્રત્યેક વપિત્તિમાં પાંડવોને બચાવ્યાં છે, તેવા ગદાધારી ભીમને આ પુસ્તક અર્પણ કરું છું.' સ્વામીજીની આ અર્પણનોંધમાં એમની આગવી જીવનદ્રષ્ટિ પ્રગટ થતી જણાય છે. તેઓ માનવીય દ્રષ્ટિબિંદુના સમર્થક છે, પરંતુ કાયરતામૂલક અહિંસા પ્રત્યે એમને સખત અણગમો છે. તેઓ રાવણના માનવ-અધિકારોની પણ ચિંતા કરે તેવા મધુર મધુર અને નરમ નરમ સાધુ નથી. જે અસમર્થ હોય એની ક્ષમાનું કોઇ મૂલ્ય નથી. આતંકવાદ સામે ઝૂકી પડતી પ્રજાને પણ 'અહિંસક' ગણે તેવું નિર્વીર્ય ભોળપણ સ્વામીજીને માન્ય નથી. બકાસુરનો વધ કરનાર ભીમ માનવ-અધિકારનો રક્ષક ગણાય કે ભક્ષક? નિર્દોષ મનુષ્યોની સામૂહિક હત્યા કરવા માટે તત્પર એવા કોઇ આતંકવાદીને હણવામાં કોઇ પાપ ખરું? સ્વામીજી આવા કેટલાક પ્રશ્નો અંગે બિલકુલ સ્પષ્ટ છે. પોતાની વાત પૂરી નિર્ભયતા સાથે રજુ કરવામાં એમની વાણી જબરી અસરકારક સાબિત થઇ છે. ગુજરાત એમનું ઋણી છે. ભીમનો આવો ઋણસ્વીકાર સ્વામીજી સિવાય કોણ કરે? ઓશો રજનીશ જ્યારે ભગવાન બની ગયા ન હતા અને કેવળ આચાર્ય હતા, ત્યારે એમણે એક પ્રશ્ન જાહેર પ્રવચનમાં ઉઠાવ્યો હતો : 'યહૂદી પ્રજાની નિર્દય કત્લેઆમ કરનારા હિટલરનું કોઇ મનુષ્યે શરૂઆતમાં જ ખૂન કરી નાખ્યું હોત, તો લગભગ પંદર લાખ યહૂદીઓ ગેસ ચેમ્બરમાં ખતમ થતાં બચી ગયા હોત. આપણે એ ખૂનીને પાપી કહેવો કે પુણ્યશાળી?' રજનીશે જવાબ પણ પોતે જ આપ્યો હતો : એ ખૂનીને 'મહાત્મા' ગણવો રહ્યો! થોડાક પરિચયને આધારે કહેવાનું મન થાય છે કે હિંદુ ધર્મમાં પેઠેલાં અનિષ્ટો સામે આટલી હિંમતથી બંડ પોકારનારા બીજા સાધુ ઝટ જડતા નથી. લોકો તેમને કાન દઇને સાંભળે છે અને આંખ દઇને વાંચે છે. એમનો સહજ સ્થાયીભાવ છે : 'પાખંડ-ખંડન'. પાઘડીનો વળ છેડે 'આપણું ઘડતર એવી ભક્તિથી કરવામાં આવ્યું, જે અંતે વેવલી થઇ ગઇ. શોષણનું માધ્યમ બની. વીરતા વિનાની વેવલી ભક્તિથી પણ પ્રજા તો દુર્બળ જ થઇ. ભગવાન અને ગુરુને નામે સદીઓથી તેનું શોષણ થઇ રહ્યું છે... ગુરુઓ સમૃદ્ધ થયા. હા, પ્રજા જ દરિદ્ર થઇ ગઇ. એકલી દરિદ્ર જ નહીં, દુર્બળ પણ થઇ ગઇ. આ વેવલી ભક્તિ પણ વીરતા વિનાની, શસ્ત્રો વિનાની, પડકાર વિનાની, મોટે ભાગે સ્ત્રીઓ માટેની થઇ ગઇ, થઇ રહી છે... જો જગત્ મિથ્યા જ હોય, તો ગુલામ રહો કે આઝાદ રહો, કંગાળ-દરિદ્ર રહો કે સમૃદ્ધ રહો. શું ફરક પડે છે? બધું સ્વપ્ન જ છે. વીરતા, શૌર્ય, કર્મઠતા, સાહસનું તો નામ જ ન રહ્યું... ફરીથી ઋષિમાર્ગનું મહત્વ સમજાય તો હજી પણ નવિનર્માણ થઇ શકે છે.'('મહાભારતની જીવનકથાઓ') સ્વામી સચ્ચિદાનંદ |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment