[F4AG] વ્રજકુમાર

 

વ્રજકુમાર
 
માળવાના ધનગિરિજી અને સુનંદાના પુત્ર તે વ્રજકુમાર
. વ્રજકુમારના જ્ન્મપુર્વે જ તેમના પિતા ધનગિરિજીએ દીક્ષા ગ્રહણ કરી લીધી હતી. જન્મની વધામણી આપવા જે આવતા તેઓ એજ વાત કરતા વ્રજકુમારના પિતાએ સિંહગિરિજી પાસે દીક્ષા ન લીધી હોત તો તેનો જન્મોત્સવ ખુબ સારી રીતે ઉજવાત. વ્રજકુમાર ઘોડિયામાં રહ્યે રહ્યે આ વાત સાંભળતા સાંભળતા તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવમાં પોતે તિર્યંગજાંત્મૃક દેવ હતા અને અષ્ટાપદ ઉપરશ્રી ગૌતમસ્વામીના મુખે પુંડરીક કુંડરીક અધ્યયન સાંભળેલ. આ બધું યાદ આવવાથી બાળકે નક્કી કર્યુંકે આ જન્મે તો દીક્ષા લેવીજ. માતા પોતાના પ્રત્યે મોહિત ન થાય. એટલા માટે માતા નો મોહ છોડાવવા એક ધારું રડવા લાગ્યા. છ મહિનામાં તો માતા કંટાળી ગઈ એજ અરસામાં શ્રી ધનગિરિજી પોતાના ગુરુદેવ સાથે ત્યાં નગરમાં પધારેલ હતા. ગોચરી માટે રજા માંગતા ગુરુ મહારાજે કહ્યું કે ગોચરીમાં જે મળે તે વહોરી લાવજો. શ્રી ધનગિરિજી તેમના સંસારી પત્ની સુનંદાના ઘેર ગોચરી વહોરવા ગયા. ત્યારે સુનંદાએ જોળીમાં છ મહિનાના બાળકને વહોરાવી દીધો. ઉપાશ્રયે પહોચતા ધનગિરિજીને ઘણો ભાર લાગતો હતો. ગુરુએ મજાકમાં પૂછ્યું શું વ્રજ જેવી ભારે ગોચરી વહોરી લાવ્યા છો ? એ પ્રમાણે બાળકનું નામ વ્રજ સ્વામી પડેલ.
 
શરૂઆતમાં સાધ્વીઓના ઉપાશ્રયમાં શ્રાવિકાઓ બાળક વ્રજનું પાલન પોષણ કરતાં ત્રણ વર્ષની વય સુધીમાં તો ઘોડિયામાં રહ્યા રહ્યા પાઠ કરતી સાધ્વીજી ઓના મુખથી માત્ર સાંભળીને ૧૧ અંગો શીખી ગયા. બાળકને અતિ આનંદિત અને બુદ્ધિમાન જાણી સુનંદાને ફરી બાળક પ્રત્યે મોહ જાગ્યો. બાળક પાછો મેળવવા સુનંદાએ રાજદરબારમાં ફરિયાદ કરી. રાજાએ કહ્યું સભામાં બાળક,માતા અને ગુરુ ત્રણેને બોલાવો. બીજે દિવસે સભામાં ત્રણે હાજર રહ્યા. એકબાજુ માતા અને એકબાજુ ગુરુને ઉભા રાખ્યા વચ્ચે બાળકને ઉભો રાખ્યો સુનંદામાતાએ રમકડાં, મીઠાઈઓ વગેરે અનેક વસ્તુઓ બાળકને લોભાવવા મૂકી, પણ ગુરુ મહારાજે તો ઓઘો અને મુહ્પતી મુક્યા. રાજા અને સંઘ જોઈ રહ્યાછે. માતા માને છે કે હમણાં બાળક મારી પાસે આવશે ને મને મળશે. બાળકતો મહા સંસ્કારી હતો વૈરાગી હતો એટલે એ રમકડાં કે મીઠાઈથી લોભાય તેવો નહોતો. તે તો તરત જ ઓઘો અને મુહ્પતી લઇ નાચવા લાગ્યો અને જૈન શાસનનો
જય જયકાર થયો
 
શ્રી વ્રજ સ્વામીજીએ નાની વયમાંજ દશપૂર્વ પ્રમાણ શ્રુતજ્ઞાન શીખી લીધેલ. સંયમ પાલનમાં તો એટલા જાગ્રત હતા કે બબ્બે વખત દેવો દ્વારા કરવામાં આવેલ પરીક્ષામાં પાસ થયા. દેવોએ પ્રશન્ન થઇ વૈક્રિય લબ્ધી અને આકાશમાં ઉડવાની વિધા આપી
. તેમણે બૌધ રાજાને બોધ આપી જૈન ધર્મી બનાવ્યો એકવાર તેમના જીવનની પ્રશંશા સાધ્વીજીના મુખેથી સાંભળી ધનાવહ શેઠની પુત્રી રૂક્ષ્મણીએ તેમની સાથે પરણવાનો દઢ નીશ્ર્ચ્યય કરેલો અને તે માટે ક્રોડ સોનૈયા આપવાનું કહ્યું પણ વ્રજ સ્વામીજીએ બાળાને એવો પ્રતિબોધ આપ્યો કે પરણવાની લાગ્નીવાળી તે કન્યા તેમની પાસે દીક્ષા લઇ લીધી. છેલ્લે વયરસેન નામના મોટા શિષ્યને પાટ ઉપર સ્થાપી પોતે અનેક સાધુઓ સાથે સ્થાવર્તગિરિ ઉપર જઈ તપ કરી જૈન શાસન ની વિજય પતાકા ફરકાવી અને શાસનની ઉન્નતિનાં અનેક કાર્યો કરી અનસન કરી સવર્ગે સિધાવ્યા
 

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...