જિંદગી ની દરેક ક્ષણ દિલ થી માણો "મોત ઉભું છે ઇન્તેઝાર માં, પણ સાલું દિલ અટક્યું છે દિલદાર માં."
શું કરું? કોણ છે એવું જેને એના જીવન સાથે પ્યાર નથી? મોત તો સહુ કોઈ માંગે છે પણ મરવા કોઈ તૈયાર નથી...... જો આપણા મનમાં શાંતિ ન હોય તો એનું કારણ એ છે કે આપણે ભૂલી ગયા છીએ કે આપણે એકબીજાનાં છીએ. જે નથી થયું તેનો અફસોસ શાને કરો છો .. .. ?? આ જિંદગી જીવવા માટે છે .. .. !! આમ રોજ રોજ શાને મરો છો .. .. ?? આ દુનિયા માં સંપૂર્ણ સુખી તો કોઈ નથી એક આંખ તો બતાઓ મને .. .. !! જે ક્યારેય રોઈ નથી બસ એટલું જ કહેવું છે મારે .. .. !! જિંદગી ની દરેક ક્ષણ દિલ થી માણો નસીબ થી મળી છે જિંદગી તો એને જીવી જાણો .. .. !! સંસાર સાગર ની એક નાવ છે જીંદગી, કદી ધૂપ કદી છાંવ છે જીંદગી, કરી જુઓ સઘળા સંબંધો નો સરવાળો, લાગણી થી બંધાયેલો ભાવ છે જીંદગી, સબંધ ભલે થોડા રાખો પણ, એવા રાખો કે હૈયે હરખ ની હેલી પડે. મોત ના મુખમાં થી જીદંગી વરસી પડે, અને મૄત્યુ બાદ સ્મશાન ની રાખ પણ રડી પડે. કલ્પના સુંદર હોય છે પણ જીવી શકાતી નથી, વાસ્તવિકતા કડવી હોય છે પણ, મારી શકાતી નથી, આખરી વાતઃ
મને કોઇ સમજે એ કરતાં હું કોઇ બીજાને સમજું એવો વિચાર કરનારને સમજનારા મળી જ જાય છે.
દરેક શ્રેષ્ઠ બાબતમાં શરૂઆત આપણાથી કરવામાં વધુ સાર્થકતા છે.
------------------------------------------------------------------------
|
No comments:
Post a Comment