[F4AG] (unknown)

 

નિયમિત જીમમાં જતા હોય, રમતગમત જેનો શોખ હોય અને મેરેથોન દોડવીર હોય તેવા માણસની જુવાની ફાટફાટ થતી હોય અને ઘડપણ તો નજીક ફરકવાની હિંમત પણ ન કરે તેમ કોઈ કહે તો હકારમાં ડોકું ધુણાવવા સિવાય કોઈ વિકલ્પ નથી બચતોે. પરંતુ એકાદ મહિના અગાઉ ઘટેલી એક ઘટના આ સર્વમાન્ય અભિપ્રાયને જૂઠો ઠેરવી ગઈ. સેપ નામની મલ્ટિનેશનલ કંપનીના ભારતીય ઉપખંડના સૌથી યુવાન સીઈઓ રંજનદાસનું બેંતાળીસ વર્ષની વયે હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું. મુંબઈના કાર્ટર રોડ પર નિયમિત દોડ લગાવવાનું રંજન દાસને જાણે વ્યસન હતું. દિવાળી પછીની જ વાત છે. જીમમાંથી કસરત કરીને ઘરે પાછા ફર્યા બાદ રંજન દાસને હૃદય રોગનો હુમલો આવ્યો અને હુમલો એટલો તીવ્ર હતો કે તેઓ ઢળી પડયા. ચેન્નઈ મેરેથોનમાં ઉત્સાહપૂર્વક હિસ્સો લેનાર એથ્લેટીક રંજનદાસ ફક્ત બેંતાળીસ વર્ષની વયે કઈ રીતે હૃદયરોગનો શિકાર બને તે વાત સહેજે ગળે ઊતરે તેવી નહોતી.

કેટલાકનું માનવું હતું કે માનસિક તાણ જવાબદાર હોઈ શકે. માનસિક તાણ રહેતી હોવાની ફરિયાદ રંજનદાસ કરી ચૂક્યા હતા. પણ ફક્ત ચિંતા તેના માટે જવાબદાર નહોતી. રિપોર્ટમાં દર્શાવાયેલી એક વાત સામે કોઈનું ધ્યાન ન ગયું કે, રંજનદાસ માત્ર ચારથી પાંચ કલાકની જ ઊંઘ લેતા હતા. તો શું એક તંદુરસ્ત, યુવાન વ્યક્તિ પણ માત્ર ઊંઘના અભાવે કે અપૂરતી ઊંઘના કારણે હૃદયરોગ જેવી પ્રાણઘાતક બીમારીનો ભોગ બની જાય? પૂરતી ઊંઘ એ ર્સ્ફૂિતલા શરીર અને વિચારશીલ મનની સ્વસ્થતા માટે આવશ્યક હોય એ સ્વાભાવિક છે. પરંતુ ઓછી ઊંઘ લેવાની આદતનું પરિણામ હૃદયરોગના રસ્તે મૃત્યુ સુધી લઈ જતું હોય તો સવેળા ચેતવું જ રહ્યું.

મેડિકલ સાયન્સ શું કહે છે?

કાર્ડિઓલોજીસ્ટના મતે અપૂરતી ઊંઘ હૃદયરોગ માટે જવાબદાર ગણાય છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ આપણાથી બાર ગાઉ દૂર રહે તેમ ઈચ્છતા હોઈએ તો અહીં દર્શાવેલી બાબતો ધ્યાનમાં રાખવી રહી.

*વર્ષ ૨૦૦૯માં રજૂ થયેલા એક રિપોર્ટ મુજબ રાત્રે છ કલાકથી વધુ ઊંઘ લેનાર વ્યક્તિઓ કરતાં પાંચ કે છ કલાકથી ઓછી ઊંઘ લેનાર વ્યક્તિઓમાં હાઈ બ્લડપ્રેશરનું જોખમ ૩૫૦થી ૫૦૦ ગણું વધી જાય છે.

*વર્ષ ૨૦૦૬માં પ્રસિદ્ધ થયેલો અહેવાલ દર્શાવે છે કે ૨૫થી ૪૯ વચ્ચેના વયજૂથમાં અપૂરતી ઊંઘને કારણે હાઈ બ્લડપ્રેશરનું જોખમ બમણું થઈ જાય છે.

*પાંચ કલાકથી ઓછી ઊંઘને કારણે હૃદયરોગનું જોખમ ત્રણ ગણું વધી જતું હોવાનું ઈ.સ. ૧૯૯૯માં રજૂ થયેલો અહેવાલ દર્શાવે છે.

*અધૂરી ઊંઘને કારણે રક્તમાં સી- રીએક્ટિવ પ્રોટીન જમા થવા લાગે છે, જે હૃદયરોગ નોતરે છે. ત્યાં સુધી કે પૂરતી ઊંઘ લીધા બાદ પણ તેનું પ્રમાણ ઊંચું જ રહે છે.

*એક રાતના ઉજાગરાને કારણે ઈન્ટરલ્યુકીન-૬, ટયૂમર નેક્રોસીસ ફેક્ટર- આલ્ફા અને સી-રીએક્ટિવ પ્રોટીન જેવાં ઝેરીતત્ત્વોનું પ્રમાણ શરીરમાં વધતું જાય છે. આ તત્ત્વો કેન્સર, આર્થરાઈટ્સ

અને હૃદયરોગ માટે જવાબદાર હોવાનું ૨૦૦૪ના અહેવાલમાં જણાવાયું છે.

*પાંચ કલાક કે તેથી ઓછી ઊંઘને કારણે હૃદયને લગતી બીમારીઓનું જોખમ ૩૯ ટકા વધી જાય છે. નિયમિત રીતે છ કલાક કે તેથી ઓછી ઊંઘ લેનાર વ્યક્તિને હૃદયરોગ થવાનું જોખમ ૧૮ ટકા હોય છે.

 

 

 

તો પછી પૂરતી ઊંઘ કોને કહેવાય?

ઊંઘને બે તબક્કામાં વહેંચી શકાય. રેપીડ આઈ મૂવમેન્ટ (ઇઈસ્) અને નોન રેપીડ આઈ મૂવમેન્ટ (ર્હહ-ઇઈસ્). પહેલા પ્રકારની ઊંઘ માનસિક થાકની જ્યારે બીજા પ્રકારની ઊંઘ શારીરિક થાકની ભરપાઈ માટે જરૃરી છે. રાત્રે બન્ને પ્રકારની ઊંઘ ચારથી પાંચ તબક્કામાં એકાંતરે મળતી હોય છે.

શરૃઆતની ઊંઘ ઘણેખરે અંશે નોન - રેમ હોય છે, જેમાં પિચ્યૂટરી ગ્રંથિમાંથી થતો હોર્મોન્સનો સ્રાવ શરીરનું સમારકામ કરે છે. જ્યારે તે પછીની ઊંઘ રેમ પ્રકારની હોય છે. જેમને દિવસ દરમિયાન માનસિક શ્રમ વધારે રહેતો હોય તેમના માટે બીજા પ્રકારની ઊંઘ ખૂબ જરૃરી બની જાય છે. ઘડિયાળને કાંટે ચાલીને જો તમે પાંચથી છ કલાકમાં તમારી ઊંઘનો અંત લાવી દો તો સ્વાભાવિક છે કે માનસિક આરામ ન મળે. અને જો પાંચ કલાકથી પણ ઓછી ઊંઘ લેવામાં આવે તો શારીરિક સ્વાસ્થ્ય પણ જોખમાય છે. વળી રંજનદાસની જેમ નિયમિત દોડવાની ટેવ હોય તો તેવા કિસ્સામાં થાકની ભરપાઈ માટે એક કલાક વધારે ઊંઘની જરૃર પડે છે.

ટૂંકમાં રંજનદાસે યોગ્ય પ્રકારના આહાર, કસરત અને જરૃરી વજન જાળવવામાં સફળતા મેળવી હતી. પરંતુ માનસિક તાણની અસરોને પહોંચી વળવા જે ઊંઘની જરૃર હતી તેમાં ચૂકી ગયા. ધારો કે માનસિક શ્રમ એટલો ન પણ રહેતો હોય તો પણ સાત કલાકની ઊંઘ અનિવાર્ય છે. તો યાદ રહે સાત કલાકની ઊંઘમાંથી ચૂક્યા તો ગયે કામ સે.



The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...