[Gujarati Club] ચાલો,પરીક્ષા આપો.

 

ચાલો,પરીક્ષા આપો.

મારો બ્લોગઃ-
http://markandraydave.blogspot.com/2011/01/blog-post_26.html

======================================================================

નોંધ- આ પરીક્ષામાં નાપાસ થવાય તો ચિંતાના કરશો, લેખકને અવારનવાર પરીક્ષા લેવાની ટેવ છે તો, વિદ્વાન પાઠકશ્રીએ વારંવાર પરીક્ષા આપવાની ટેવ પાડવી. આ આખાય પ્રશ્નપત્રની, આદર્શ જવાબવહી (સાચા ઉત્તર સાથે) ઉપર દર્શાવેલ  બ્લોગ લિંક પર ટૂંક સમયમાં, આપના જવાબોના આધારે ઉપલબ્ધ કરાશે. જવાબો ફક્ત બ્લોગના પ્રતિભાવ ( રૅકર્ડ પરપઝ કાજે. ) `COMMENT ` વિભાગમાંજ આપવા વિનંતી છે.

====================================================================== 
દેશદાઝ  જ્ઞાન અને સામાન્ય જ્ઞાન

વિષયસંદર્ભઃ  વિદેશોમાં સંગ્રહાયેલાં કાળાં નાણાં

સમય - અમર્યાદિત

કુલ ગુણ - ૧૦૦% દેશપ્રેમ                                                                                

* દરેક દેશપ્રેમીએ, અહીં આપેલા તમામ પ્રશ્નોના ઉત્તર આપવા ફરજીયાત છે.

* કોઈપણ પ્રશ્નનો ઉત્તર ન આવડે તો કોઈને પણ પૂછવાની કે ગાઈડમાં જોઈને લખવાની છૂટ છે.

* આ પ્રશ્નપત્ર દરેક દેશવાસીને ( અન્ય ભાષાઓમાં ટ્રાન્સલેટ કરીને પણ ) પાસે ફોરવર્ડ થાય તો કુલ ગુણ ઉપરાંતના અલગ વધારે ગુણ ફાળવાશે ..!!

* મતદાર કાર્ડ હોય પરંતુ મત આપવા જવામાં આળસ કરતા હોય તેવા નાગરિકો માટે, આ પરીક્ષા મરજીયાત છે. (હાશ, છૂટ્યા..!!)

======================================================================

પ્રશ્નઃ૧ (અ) ફક્ત એક શબ્દમાં ઉત્તર આપો. (હા કે ના) (દેશપ્રેમ ગુણ- ૨૦)

* આ કાળા નાણાં જાહેર જનતાના હિત ઉપયોગ માટેનાં નાણાં છે?

* આ કાળાં નાણાં આપણા દેશના ટેક્સમાંથી છટકીને એકઠાં કરેલાં નાણાં છે?

* આ કાળા નાણાં  આતંકવાદી સંગઠનોનાં પણ હોઈ શકે છે?

* આ કાળા નાણાંથી માનવતાવાદી નૈતિકતાનો હ્રાસ થયો છે?

* આ કાળા નાણાં દેશના વિકાસ કાર્યમાં વપરાય તે માટે,સમગ્ર જનતાએ એક અવાજે આંદોલન કરવું જોઈએ?

પ્રશ્નઃ૧ (બ) ફક્ત એક-બે વાક્યમાં ઉત્તર આપો. (દેશપ્રેમ ગુણ - ૨૦)


* આ કાળા નાણાં દેશમાં પરત લાવવા વિદેશી બેંકો તથા સરકારો આપણને  સહયોગ આપશે, કે શ્રીપ્રણવબાબુની માફક કરારનું બહાનું કાઢશે?

* આ કાળા નાણાં, ફક્ત ૧૦૦ દિવસમાં, દેશમાં પરત લાવવા, કોંગ્રેસે ગત લોકસભા ચૂંટણીના મૅનિફેસ્ટોમાં આપેલું વચન રહી-રહીને પણ  પાળશે? (બે વર્ષથી વધારે સમય તો થઈ ગયો..!!)

* આ કાળા નાણાં બાબતે કેન્દ્રસરકારે કરેલા ખુલાસાથી,નામદાર સુપ્રિમ કૉર્ટને પણ સંતોષ થયો નથી, હવે સરકાર કેવો પૂરક ખુલાસો રજૂ કરશે?

* આ કાળા નાણાં બાબતે ન્યાયપાલિકા કોઈ યોગ્ય આદેશ આપશે? આ આદેશને કેન્દ્રસરકાર ગાંઠશે?

* આ કાળા નાણાં દેશમાં પરત લાવી ધોળાં કરવા, જેતે ખાતાધારકોને કોઈ ઉદાર ટેક્સ રાહત તથા કોઈ દેંડ કે સજા નહીં કરવાની બાંહેધરી, જાહેર કરવાની જરૂર આપને લાગે છે?

* આમ ઉદાર રાહતોને કારણે, દેશના નાગરિકો વચ્ચે, આર્થિક અસમાનતા વધશે? પહેલેથીજ અમીર ખાતાધારક વધારે અમીર બને, તે યોગ્ય બાબત ગણાશે?

* આ કાળાં નાણાં આવી રાહતને અનુસરીને સફેદ કરી આપનારા સત્તાધિશો, " ગાંધી વૈદ્યનું સહિયારું" કરીને કટકી કરી લેશે તમ આપને લાગે છે?

* આ કાળા નાણાં દેશમાં પરત લાવવા બાબતે ઉદાર રાહતની અવધિ સમાપ્ત થયા બાદ, તે નાણાં જપ્ત કરીને, દેશના આ ગુન્હેગાર પર રાષ્ટ્રદ્રોહ જેવો ગંભીર ગુન્હો દાખલ કરી સજા મળે તે બાબતે આખો દેશ સર્વસંમત છે?

પ્રશ્નઃ ૨ એક પેરેગ્રાફમાં ઉત્તર આપો. (દેશપ્રેમ ગુણ- ૨૦)

* જેમ બોફોર્સ કે હવાલા કાંડનું સુરસુરિયું થઈ ગયું તેમ, આ કાળાં નાણા બાબત પણ ભૂતકાળની ગર્તામાં વિલિન થઈ જશે?

* મોંઘવારી  સહિત આંતરિક  અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલી UPA સરકારની નિષ્ફળતાનો દોષનો ટોપલો, યુવરાજ રાહુલબાબાએ અન્ય શયોગી પક્ષોના શંભુમેળા પર નાંખ્યો છે ત્યારે, આ કાળાં નાણાં પરત લાવી, વાહવાહ મેળવી, આવતી લોકસભાની ચૂંટણીમાં, કોંગ્રેસ પોતાના એકલા હાથે બહુમતી મેળવી પોતાના એકજ પક્ષની સરકાર બનાવી શકશે?

* પડોશી દેશોની દાદાગીરી સામે પહોંચી વળવા તથા ભારતને વિશ્વમાં સક્ષમ સુપર પાવર બનાવવા, આ કાળાં નાણાં અત્યારે દેશને ખૂબ ઉપયોગી થાય તે માટે, આ સમય જ  એકદમ યથાયોગ્ય છે તેમ આપ માનો છો?

* આ કાળાં નાણાં પરત આવે તો, તે આખો રૂપિયો જનતાના આરોગ્ય, શિક્ષણ, માળખાકિય સુવિધા માટે જ ખર્ચાશે તેમ આપ માનો છો? કેપછી, સ્વ.શ્રીરાજીવ ગાંધીના બ્રહ્મવાક્ય પ્રમાણે, સામાન્ય જનતા સુધી માત્ર પંદર પૈસા જેટલોજ લાભ પહોંચશે?

પ્રશ્નઃ૩ ,   ટૂંકનોંધ લખો (દેશપ્રેમ ગુણ -૨૦)

* કાળાં નાણાં અને સામાન્ય જનતાની લાચારી.

* કાળાં નાણાં અને ન્યાયપાલિકાની સક્રિયતા.

પ્રશ્નઃ ૪  સાચાં જોડકાં જોડો (કોણ શું કહે છે?) (દેશપ્રેમ ગુણ -૨૦)

* નામદાર સુપ્રિમ કૉર્ટ -

" According to Wikipedia, illicit money lodged in Swiss banks totaled $2.6 trillion (Rs 130 lakh crore in today's exchange rate) in 2001 and $5.7 trillion (Rs 285 lakh crore) in 2007, and that illicit money deposited by rich Indians in Swiss banks and tax havens elsewhere was between $0.5-1.4 trillion (Rs 25-70 lakh crore). Illicit money comprised political bribes, crime money and venal business.

* નામદાર શ્રીમનમોહનસિંઘ-

" This is all the information you have or you have something more? We are talking about the huge money. That is the plunder of nation."

* નામદાર શ્રીપ્રણવ મુખરજી -

" Money belonging to terrorists might have been invested in the Indian stock market through participatory notes."

* નામદાર શ્રીએમ.કે. નારાયણ- નેશનલ સિક્યુરિટિ ઍડવાઈઝર-

" Action has already started  for getting back black money belonging to Indians from Swiss banks. "

* નામદાર શ્રીએલ.કે અડવાણી-

" One of the conditions is the secrecy. We have given names to Supreme Court in sealed cover."

પ્રશ્નઃ ૫ કોઈપણ એક વિષ્ય પર વિસ્તારપૂર્વક નિબંધ લખો. (દેશપ્રેમ ગુણ - ૨૦)

* સ્વિસ બેંકની ઉપયોગિતા અને ખાતાં ખોલાવવા કાર્યપ્રણાલિ.

* આશરે $ ૨.૬  યુ.એસ.ડૉલર્સ ( લગભગ ૧૩૦ લાખ કરોડ રૂપિયા) થી ભારતમાં થઈ શકતા વિકાસકાર્ય.

======================================================================

તા.ક. પ્રશ્નપત્રના ઉત્તર માત્ર બ્લોગ પર પ્લી..ઝ..!! ( રૅકર્ડ પરપઝ કાજે. )

માર્કંડ દવે. તા.૨૭ જાન્યુઆરી ૨૦૧૧.

======================================================================

__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...