વર્ક-કલ્ચર ખીલે તો ગરીબી ટળેGunvant Shah દેશને જરૂર છે અન્યથી જુદા પડી આવે એવા પ્લમ્બરોની, લુહારોની, શિક્ષકોની, ખેડૂતોની, કલેક્ટરોની, કુલપતિઓની, પ્રધાનોની, સફાઇ કામદારોની અને કર્મશીલોની. જેઓ જુદા પડી આવે, તેઓ પાસે એવું શું હોય છે? તેઓ પાસે 'વર્ક-કલ્ચર' હોય છે, જેને કારણે તેમનું કર્મ વૈતરું મટીને કર્મનિષ્ઠામાં ફેરવાઇ જાય છે. વર્ષો પહેલાં મુંબઇના વિક્ટોરિયા ટર્મિનસથી ઊપડતા સિકંદરાબાદ એક્સપ્રેસમાં હૈદરાબાદ જવાનું બનેલું. ટ્રેન જ્યારે લોનાવાલા સ્ટેશને ઊભી રહી ત્યારે પ્લેટફોર્મ પર ડબ્બો પરબ સામે ઊભો રહ્યો. પરબનું છાપરું રંગબેરંગી પુષ્પોથી છવાયેલું હતું. થર્મોસમાં પાણી હતું અને તરસ લાગી ન હતી, તોય પાણી પીવા માટે નીચે ઊતર્યો. પરબવાળાને પૂછ્યું : 'પરબના છાપરા પર આવાં સુંદર પુષ્પો કોણે ઉગાડ્યાં? જવાબ મળ્યો : 'અમારા સ્ટેશન માસ્તર સાહેબને શોખ છે.' ટ્રેન ચાલી ન જાય તેથી એ પરબે ખોબો ધરીને પાણી પીધું ત્યારે પણ નજર પાછળ રાખીને પીધું. જો થોડોક સમય મળ્યો હોત તો જરૂર એ સ્ટેશન માસ્તરને મળીને અભિનંદન આપ્યાં હોત. એ સ્ટેશન માસ્તર લાખોમાં એક ગણાય. આપણા દેશમાં સુથારો ઘણા, પરંતુ કેટલાક સુથાર એવા કે અન્યથી જુદા પડી આવે. દેશને જરૂર છે અન્યથી જુદા પડી આવે એવા પ્લમ્બરોની, લુહારોની, શિક્ષકોની, વાયરમેનોની, મેનેજરોની, ડ્રાઇવરોની, ખેડૂતોની, કલેક્ટરોની, કુલપતિઓની, પ્રધાનોની, સેવકોની, સફાઇ કામદારોની અને કર્મશીલોની. જેઓ જુદા પડી આવે, તેઓ પાસે એવું શું હોય છે? તેઓ પાસે 'વર્ક-કલ્ચર' હોય છે, જેને કારણે તેમનું કર્મ વૈતરું મટીને કર્મનિષ્ઠામાં ફેરવાઇ જાય છે. દેશની ગરીબી ટળે તે માટે ઉત્પાદકતા (પ્રોડક્ટિવિટી) વધે તે જ ખરો ઉપાય છે. પ્રોડક્ટિવિટી અને પોવર્ટી વચ્ચે વ્યસ્ત પ્રમાણ હોય છે. ટ્રેડ યુનિયનનો નેતા કદી પણ કામદારોને ઉત્પાદકતા વધારવાની શિખામણ આપતો નથી. એવા નેતાને કામદારો સ્વીકારતા જ નથી. પરિણામે આપણી ગરીબીને ખાસી નિરાંત છે. મન દઇને પોતાને ભાગે આવેલું કામ કરનાર સામાન્ય માણસ આદરણીય છે. આવો કોઇ માણસ જ્યાં અને જ્યારે મળી આવે ત્યારે એને ટિપ આપતી વખતે કરકસર ન કરવી એમાં આપણી ખાનદાની શોભે છે. ઘરની કામવાળી પ્રત્યે અનુદારતા બતાવનારી ગૃહિણીની કક્ષા કામવાળીની કક્ષા કરતાં પણ નીચી જાણવી. શું માણસ કામને ધિક્કારે છે? શું એને મફતનું મળે તે પ્રત્યે મોહબ્બત હોય છે? શું કામચોરી કેવળ ભારતનો રાષ્ટ્રીય રોગ છે? આ પ્રશ્નોનો ઉપરછલ્લો જવાબ 'હા' હોવાનો સંભવ છે, પરંતુ વાત બહુ સાચી નથી. આવી ફરિયાદો સતત કાને પડે તેથી આપોઆપ સાચી બની જતી નથી. આ પ્રશ્નનો ઐતિહાસિક અને આંતરરાષ્ટ્રીય સંદર્ભ સમજવા જેવો છે. અસંખ્ય સદીઓથી મનુષ્ય કોઇ ને કોઇ કામ કરીને પોતાનું પેટિયું રળી લેતો આવ્યો છે. કેટલાંક કર્મો પેટમૂલક હોય છે. કેટલાંક કર્મો મગજમૂલક હોય છે. કેટલાંક કર્મો હૃદયમૂલક હોય છે. પેટમૂલક કર્મ કરે તે કામદાર, મગજમૂલક કર્મ કરે તે કારીગર અને હૃદયમૂલક કામ કરે તે કલાકાર ગણાય. મનુષ્યને આવાં ત્રણે પ્રકારનાં કર્મની ગરજ છે. જેને લોકો કામ (વર્ક) કહે છે તેનો ઇતિહાસ રસપ્રદ છે. એક જમાનામાં ગ્રીસના લોકો કામને શાપ ગણતા. ગ્રીક ભાષામાં 'કામ' માટેનો શબ્દ 'શોક' (ponos) પરથી આવ્યો છે. કામ એટલે વૈતરું, બોજો અને થાક. એ જમાનામાં ગ્રીક લોકો માટે કામનું કોઇ મૂળભૂત મૂલ્ય ન હતું. હિબ્રૂ ભાષા બોલનારા લોકો માટે પણ કામનો અર્થ કંઇક એવો જ હતો, પરંતુ એમાં એક તફાવત હતો. હિબ્રૂ ભાષા બોલનારા લોકો કામને પ્રાયશ્વિત ગણતા. ખ્રિસ્તી પરંપરાએ આવી માન્યતાઓને ઝાઝું મહત્વ ન આપ્યું અને કામનો આદર કર્યો. 'વર્ક ઇઝ વર્શિપ', કહેવત જાણીતી છે. એ લોકોએ એમ માન્યું કે ખરાબ વિચારો દૂર રાખવા માટે અને મન તથા શરીરને તંદુરસ્ત રાખવા માટે કામ કરવું જરૂરી છે. એ લોકોએ કામને નિરાશા સાથે જોડવાને બદલે નિરાશાનો સામનો કરવાના ઉપાય તરીકે કામનો મહિમા કર્યો. પ્રોટેસ્ટન્ટોએ તો કામની પ્રતિષ્ઠા ખૂબ વધારી. એમણે સોળમી સદીમાં સૂત્ર વહેતું કર્યું હતું: 'ઘરમાં કામ કરતી મજૂરણ ચર્ચમાં પ્રાર્થના કરતા પાદરી કરતાં ભગવાનથી વધારે દૂર નથી.' પ્રોટેસ્ટન્ટોએ કામને ભગવાનની પૂજા તરીકે બિરદાવ્યું હતું. કદાચ એવી વ્યાપક સમજણ બ્રિટનને મહાસત્તા બનાવનારી હતી. માણસ આર્થિક સલામતી ઝંખે છે. એ સલામતી હવે કેવળ પેટનો ખાડો પૂરવામાં સમાઇ જતી નથી. હવે પેટિયું પગાર બની ગયું છે અને પગાર જીવનની ગુણવત્તા સાથે પણ જોડાઇ ગયો છે. જેમ પગાર તગડો તેમ જીવનધોરણ ઊંચું! આવું વિધાન 'જીવન' શબ્દને ન્યાય આપનારું નથી. જીવનધોરણને કેવળ કાર, બંગલો, એસી કે વૈભવ સાથે જ જોડવામાં માલ નથી. હવે માણસને કામ આપવાની સામાજિક જવાબદારી સરકારની ગણાય છે અને બેકારને બેકારીભથ્થું (dole) મળે તેવી વ્યવસ્થા પણ સભ્ય સમાજનું લક્ષણ ગણાય છે. કુટુંબનું ભરણપોષણ પણ કેવળ પુરુષો જ કરે તેવી પરિસ્થિતિ હવે નથી રહી. સ્ત્રીઓ ઓફિસેથી પાછી ફરે ત્યારે થાકેલી હોય છે. જો પતિ વહેલો ઘરે પહોંચ્યો હોય, તો તેણે થાકીને આવેલી પત્નીને પાણીનો ગ્લાસ ધરવો જોઇએ. આવું બને તેમાં એકવીસમી સદીની નૂતન સભ્યતા પ્રગટ થતી દીસે છે. કામ કરવાનું માણસને મન થાય એવું પર્યાવરણ રચવાની જવાબદારી કોની? કામ કરનારનું મનોવિજ્ઞાન સમજવું જરૂરી છે. પગાર સાથે પરિતોષ પણ મળે, તો ચમત્કાર સર્જાય છે. માણસ પોતાને ફાળે આવેલા કામને આવકારે તે માટે એ કામ અર્થપૂર્ણ હોય તે ખૂબ જરૂરી છે. અર્થપૂર્ણ કામ એટલે શું? જવાબમાં ત્રણ બાબતો મહત્વની છે : (૧) રસ પડે તેવું કામ (૨) પોતાની શક્તિનો વિનિયોગ થાય તેવું કામ (૩) પોતાના કામ અંગે નિર્ણય કરવાનો અધિકાર હોય તેવું કામ. આ ત્રણે બાબતોનો અભાવ માણસને કામચોર બનાવે છે. કામચોરી સાથે દિલચોરી અને ક્યારેક દાણચોરી જોડાઇ જાય છે. આવી પરિસ્થિતિમાં કામ કરનારના કામમાં કોઇ ભલીવાર નથી હોતો. પરિણામે ઉત્પાદકતા ઘટે છે અને દેશના કરોડો લોકોની ઘટેલી ઉત્પાદકતાને કારણે ગરીબીને નિરાંત રહે છે. પરિણામ શું? કોઇ કવિ દરજીકામ કરતો રહે છે. ગનીભાઇ દહીંવાલાને સુરતના ઘણા લોકોએ દરજીકામ કરતા જોયા હતા. કોઇ સફળ ખેલાડી બેંકમાં એકાઉન્ટન્ટ બનીને જીવનભર સડતો રહે છે. કોઇ ચિત્રકાર રેલવેમાં ટિકિટ કલેક્ટર બની જાય છે. વાચનમાં રસ ન હોય એવા પ્રાઘ્યાપકને તમે મળ્યા છો? મારા એક સ્વજનનો દીકરો અમેરિકામાં જન્મીને મોટો થયો. એના પિતા સફળ ડેન્ટિસ્ટ તરીકે વર્ષોથી અમેરિકામાં સ્થિર થયા છે. દીકરાને ત્યાંની ડેન્ટિસ્ટ્રી માટેની પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રવેશ મળી ગયો. એ દીકરાએ એક વર્ષ કોલેજમાં ભણ્યા પછી એ લાઇન છોડવાનો નિર્ધાર કર્યો. માતાપિતા દુખી થયાં. એ યુવાને મને કહ્યું : 'મને જો કામમાં જરા પણ રસ ન પડે, તો મારા દરદીઓને કેટલો અન્યાય થાય?' માનશો? એ યુવાન હાલ અમેરિકા છોડીને જામનગરના જિમમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે મોજથી કામ કરે છે. એને ભારતમાં રહેવાનું ગમે છે. એને 'અર્થપૂર્ણ કામ' મળી ગયું છે. મારી આ વાતમાં સમજ ન પડે, તો એક કામ કરો. આ લેખ વાંચી લીધા પછી સમય ગુમાવ્યા વિના ફિલ્મ '3 idiots' જોઇ આવો. પાઘડીનો વળ છેડે- જો કોઇ માણસ ફળિયાનો ઝાડુવાળો હોય તો તેણે માઇકલ એન્જેલો ચિત્રકામ કરે તે રીતે,બીથોવન સંગીતરચના કરે તે રીતે, કે પછી શેક્સપિયર કવિતા ચ્ચે તે રીતે ફળિયામાં એટલી સુંદર રીતે ઝાડુ વડે સફાઇકામ કરવું જોઇએ કે પૃથ્વી અને સ્વર્ગના નિવાસીઓ થોભી જઇને એવું કહેવા પ્રેરાય કે: અહીં તો એક એવો મહાન ઝાડુવાળો રહેતો હતો, જે પોતાનું કામ અત્યંતસુંદર રીતે કરતો હતો. - માર્ટિન લ્યૂથર કિંગ (જુનિયર) |
Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW!.
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.
__,_._,___
No comments:
Post a Comment